SearchBrowseAboutContactDonate
Page Preview
Page 500
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વજ્ઞમાં કવલાહારના વિરોધનો પરિહાર કંઈ વાંધો નથી. પરંતુ આહારપર્યાસિનામકર્મનો અને વેદનીયકર્મનો ઉદય, એ રૂપ અવિકલકારણસામગ્રી જન્ય કવલાહાર સ્વીકારવામાં શું દોષ ? માટે તે કેવલીમાં હર્ષઆનંદાદિ કાર્ય ભલે ન હો, પરંતુ અવિકલકારણથી ઉત્પન્ન થતો આહાર તો અનિવાર્યપણે સ્વીકારવો જ જોઈએ. તથા વળી કવલાહારનું એવું તે કયું કાર્ય છે કે જે સર્વજ્ઞતાની સાથે વિરોધવાળું દેખાય છે ? ૪૩૫ (૧) શું આહાર કરવાથી રસનેન્દ્રિયજન્ય જે મતિજ્ઞાન થાય છે. તે વિરોધી છે ? (૨) શું આહાર કરવાથી તેમની ધ્યાનદશામાં કોઈ સ્ખલના થાય છે ? (૩) શું આહાર કરવાથી જેટલો સમય આહારમાં જાય, તેટલો સમય પરોપકાર કરવામાં અંતરાય થાય ? (૪) શું આહાર કરવાથી પેટમાં શૂલ, અજીર્ણ, અપચો ઇત્યાદિ રોગો જે થાય તે સર્વજ્ઞતાની સાથે વિરોધી છે ? (૫) શું આહાર કરવાથી કાયયોગ હોવાના કારણે ઈર્યાપથિક આશ્રવ થાય છે તે સર્વજ્ઞતાની સાથે વિરોધી છે ? (૬) શું આહાર કરવાથી મળ-મૂત્ર કરવાં પડે તે જુગુપ્સિતક્રિયા છે તે વિરોધી છે ? (૭) શું આહાર કરવાથી શરીર લષ્ટપુષ્ટ બને, શારીરિક રૂધિરાદિ ધાતુઓનો ઉપચય થાય તેથી સ્ત્રી આદિની સાથે કામભોગની વાસના થવા રૂપ રિહંસા થાય, તે સર્વજ્ઞતાની સાથે વિરોધી છે ? (૮) શું આહાર કરવાથી નિદ્રા-આળસ આવે તે સર્વજ્ઞતાની સાથે વિરોધી છે / ઉપરોક્ત કવલાહારનાં આઠ કાર્યો પૈકી કયું કાર્ય તમને સર્વજ્ઞતાની સાથે વિરોધી લાગ્યું કે જેના કારણે સર્વજ્ઞતાની સાથે કવલાહાર તમે નથી સ્વીકારતા ? (૧) પહેલો પક્ષ જો કહો તો તે ઉચિત નથી. કારણ કે રસનેન્દ્રિય અને આહારમાત્રના સંયોગથી રસનેન્દ્રિયજન્ય મતિજ્ઞાનનો અસંભવ છે. નદુમ્મિદ્ છાઙમસ્થિત્ નાળે આવું શાસ્ત્રવચન હોવાથી કેવલીને છાજ્ઞસ્થિક મતિજ્ઞાનાદિ હોતાં નથી. મતિજ્ઞાનાદિ ક્ષયોપશમભાવનાં છે અને કેવલજ્ઞાન ક્ષાયિકભાવનું છે. માટે કેવલીભગવાનને ઇન્દ્રિયની સાથે વિષયનો સંયોગ હોય, પરંતુ તે સંયોગમાત્રથી મતિજ્ઞાન સંભવે નહીં. અન્યથા = જો ઇન્દ્રિય અને વિષયના સંયોગમાત્રથી જ મતિજ્ઞાન સ્વીકારવામાં આવે તો ભગવાનના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001266
Book TitleRatnakaravatarika Part 1
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJina Dharm Prakashan Trust Surat
Publication Year2008
Total Pages506
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy