SearchBrowseAboutContactDonate
Page Preview
Page 499
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૪ દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૨૭ રત્નાકરાવતારિકા ___ नाद्यः पक्षः । तावन्मात्रेण रसनेन्द्रियज्ञानासम्भवात् अन्यथा अमरनिकरनिरन्तरनिर्मुक्तकुसुमपरिमला-दिसम्बन्धाद् घ्राणेन्द्रियज्ञानमपि भवेत् । न द्वितीयः । केवलिनः शैलेशीप्रारम्भात् प्राग् ध्यानानभ्युपगमात् तत्र च कवलाहारस्वीकारात्, तद्ध्यानस्य च शाश्वतत्वात्, अन्यथा गच्छतोऽपि कथं नैतद् विघ्नः स्यात् ? न तृतीयः, तृतीययाममुहूर्तमात्र एव भगवतां भुक्तेः, शेषमशेषकालमुपकाराવપરાત્ | न चतुर्थः, परिज्ञाय हितमिताहाराभ्यवहारात् । न पञ्चमः, गमनादिनाऽपीर्यापथप्रसङ्गात् । न षष्ठः, यतस्तस्मिन् क्रियमाणे तस्यैव जुगुप्सा संपद्येत अन्येषां वा ? न तावत् तस्यैव भगवतः, निर्मोहत्वेन जुगुप्साया असम्भवात्, अथान्येषाम्, तत् किं मनुजदनुज-अमरेन्द्र-तद्रमणीसहस्त्रसङ्कलायां सभायामनंशुके भगवत्यासीने सा तेषां न जायते ? अथ भगवतः सातिशयत्वाद् न तन्नाग्न्यं तेषां तद्धेतुः । तर्हि तत एव तन्नीहारस्य मांसचक्षुषामदृश्यत्वाद् न दोषः । सामान्यकेवलिभिस्तु विविक्तदेशे तत्करणाद् दोषाभावः । नापि सप्तमाष्टमौ, रिरंसानिद्रयोर्मोहनीयकार्यत्वात्, भगवति तु तदभावात् । तन्न कार्यमपि तस्य तेन विरुध्यते । હવે હે દિગંબરો ! કવલાહારનું જે કાર્ય છે તે કાર્ય સર્વજ્ઞતાની સાથે વિરોધ પામે છે એમ જો તમે કહેશો તો તે પણ ઉચિત નથી. કારણ કે કવલાહારનું જે કાર્ય હોય છે. તે કાર્ય ભલે કેવલિમાં ઉત્પન્ન ન થાઓ, પરંતુ અવિકલ (પરિપૂર્ણ) કારણ સામગ્રીથી ત્યાં કેવલીમાં સંભવતો કવલાહાર તો અનિવાર્ય જ સંભવે છે. સારાંશ કે જગતમાં જે કોઈ પદાર્થો ઉત્પન્ન થાય છે તે અવિકલકારણસામગ્રીથી ઉત્પન્ન થાય છે. પરંતુ ફળની (એટલે કાર્યની) અપેક્ષાએ ઉત્પન્ન થતાં નથી. જેમ કે સમુદ્રમાં વરસતો વરસાદ, તેનું ફળ (કાય) કંઈ જ નથી, નિરર્થક જ વરસે છે. તો પણ વાદળ-શીતળતા અને સાનુકુળ વાતાવરણ ઇત્યાદિ અવિકલ કારણસામગ્રીથી વરસાદ વરસે છે. તથા ચોમાસામાં થતી સૂક્ષ્મ જીવાત, જેનું કોઈ પ્રયોજન નથી જે મૃત્યુને જ શરણ થવાની છે તો પણ તેવા પ્રકારના શીતળ અને દુર્ગન્ધમય વાતાવરણરૂપ અવિકલકારણની સામગ્રીથી ઉત્પન્ન થાય છે. અર્થાત્ પદાર્થની ઉત્પત્તિ અવિકલકારણને આધીન છે. પરંતુ ફળને આધીન નથી. માટે કેવલીમાં પણ કવલાહારનું જે કાર્ય (ફળ), જો સર્વજ્ઞતાની સાથે વિરોધવાળું હોય તો તે કાર્ય (સંતોષઆનંદ, હર્ષ, રસાસ્વાદ, તૃપ્તિ) ઇત્યાદિ ભલે કેવલીમાં ન હો, એમાં અમને શ્વેતાંબરોને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001266
Book TitleRatnakaravatarika Part 1
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJina Dharm Prakashan Trust Surat
Publication Year2008
Total Pages506
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy