SearchBrowseAboutContactDonate
Page Preview
Page 388
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રોત્રની પ્રાપ્ત-અપ્રાપ્યકારિતાની ચર્ચા ૩ ૨ ૩ છે. માટે કંઈક સમજો કે આ દિગ્દશના વ્યવહારો તે શંખના શબ્દની જેમ ભિન્નજ્ઞાનનો વિષય છે. અર્થાત્ અનુમાનજ્ઞાનનો વિષય છે પરંતુ શ્રોત્રપ્રત્યક્ષનો વિષય જ નથી. તેથી ત્યાં સન્નિકર્ષ ન હોવાથી શ્રોત્રની અપ્રાપ્યકારિતા સિધ્ધ થતી નથી. દિગ્દશના વ્યવહારો તો “આ શબ્દ શંખનો છે” ઇત્યાદિની જેમ શબ્દના વિશેષ ધર્મોને જણાવતા છતા શબ્દને વિશિષ્ટ કરે છે. પરંતુ સશિકર્ષજન્ય પ્રત્યક્ષજ્ઞાનનો વિષય જ નથી. તો તેનાથી અપ્રાપ્યકારિતા કેમ સિધ્ધ થાય ? માટે હે બૌધ્ધ ! તારા હેતુમાં અમારા વડે અપાયેલો સ્વરૂપાસિધ્ધ હેત્વાભાસનો દોષ સારી રીતે આવે જ છે. ૮૭ गृह्यते यदि विनैष सङ्गतिं किं तदाऽनुगुणमारुते ध्वनौ ? । दूरतोऽपि धिषणा समुन्मिषेदन्यथा तु निकटेऽपि नैव सा ॥८८॥ કિ = જો, અર્તિ વિના =સન્નિકર્ષ વિના જ, પણ = આ શબ્દ હસ્તે = ગ્રહણ કરાતો હોય, તેવા = તો, મનુITTEાતે = અનુકુળ પવન હોય ત્યારે, તૂરતોષિ = દૂરથી આવતા પણ, áન = શબ્દમાં, થિષUT = બુધ્ધિ, સમુભિષેદ્ = ઉત્પન્ન થાય છે. અન્યથા તુ = અને વળી પ્રતિકુળ પવન હોય ત્યારે, નિપિ = નજીકથી આવતા શબ્દમાં પણ, સા નૈવ વિંજ = તે બુધ્ધિ કેમ થતી નથી? જૈનાચાર્યશ્રી બૌધ્ધને બીજી પણ એક યુક્તિ સમજાવે છે કે જો શ્રોત્રની સાથે સજ્ઞિકર્ષ થયા વિના જ શબ્દનું ગ્રહણ થતું હોય તો તે બૌધ્ધ? અનુકુળ પવન હોય ત્યારે દૂરથી આવતા શબ્દમાં પણ શબ્દગ્રહણવાળી બુધ્ધિ ઉત્પન્ન થાય છે અને જ્યારે પ્રતિકુળ પવન હોય ત્યારે નિકટ બોલાતા શબ્દમાં પણ તે શબ્દગ્રહણ બુધ્ધિ કેમ થતી નથી ? જો શ્રોત્ર અપ્રાપ્યકારી જ હોય તો શબ્દ અને શ્રોત્રના સંયોગની જરૂરીયાત જ નથી. દૂરથી જ શબ્દગ્રહણ થવાનું છે તો અનુકુળ કે પ્રતિકુળ પવનમાં પણ, દૂર કે નજીક શબ્દ બોલાતો હોય તો પણ એક સરખો જ શબ્દ સંભળાવો જોઈએ. પરંતુ તેમ થતું નથી. તેથી શ્રોત્ર પ્રાપ્યકારી જ છે. I૮૮. मुहुर्मरुति मन्थरं स्फुरति सानुलोमागमे, समुल्लसितवल्लकीक्वणकलाकलापप्लुता । सकामनवकामिनीकलितघोलनाऽऽडम्बरा, न किं निशि निशम्यते सपदि दूरतः काकली ? ॥८९॥ સાનુનીન = સાનુકુળ છે મારે = આગમન જેનું એવો, પતિ = પવન, મન્ચર = મન્દ મન્દ, મુ. = વારંવાર, રતિ = વાતે છતે, સમુસિત = સારી રીતે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001266
Book TitleRatnakaravatarika Part 1
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJina Dharm Prakashan Trust Surat
Publication Year2008
Total Pages506
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy