SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૮ = अस्ति એવો કોઈ વિશેષ નથી કે યેન અનુમાનમાં જ, સા તે વ્યતિરેકવ્યાપ્તિ, મા = માન્ય કરાય. હે નૈયાયિક ! ચક્ષુને પ્રાપ્યકારી ઠરાવનારા તારા અનુમાનમાં તને જેમ સાધ્ધાભાવની સાથે હેતુનો અભાવ દેખાવાથી વ્યતિરેકવ્યાપ્તિ ઈચ્છાઈ છે. તેજ રીતે ચક્ષુને અપ્રાપ્યકારી સિધ્ધ કરનારા અમારા જૈનોના અનુમાનમાં પણ સાધ્યાભાવથી હેતુનો અભાવ દેખાતો હોવાથી તે વ્યતિરેક વ્યાપ્તિ ઈચ્છાયેલી જ છે. અને તારી જેમ જ અમારી વ્યતિરેકવ્યાપ્તિથી ચક્ષુઃ અપ્રાપ્યકારી છે એવા પ્રકારનું અમારૂં સાધ્ય પણ સિધ્ધ થાય જ છે. દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-પ રત્નાકરાવતારિકા જેના કારણે, નૈવ = તમારા એક = એવી કોઈ વિશેષતા (વિશેષકારણ) દેખાતું નથી કે જેનાથી તે વ્યતિરેકવ્યાપ્તિ એક તમારા જ અનુમાનમાં સાધ્ય સાધનાર તરીકે માન્ય રખાય અને અમારા જૈનોના અનુમાનમાં અમાન્ય રખાય. માટે હે નૈયાયિક ! હવે કંઈક સમજ કે સાધ્યાભાવ અને હેતુઅભાવના સહચારનું કદાચ એકાદ દેષ્ટાન્ત મળી જાય તો તેટલા માત્રથી સાધ્યસિધ્ધિ થતી નથી. જેમ કે પર્વતો ધૂમવાન્ જ્ઞમત્ત્વાત્ મજ્ઞાનસવત્, હૂઁવત્, જ્યાં જ્યાં ધૂમાભાવ હોય છે ત્યાં ત્યાં વર્જ્યભાવ હોય છે. જેમકે હૃદ. જ્યાં જ્યાં વહ્નિ હોય છે ત્યાં ત્યાં ધૂમ હોય છે જેમ કે મહાનસ. Jain Education International અહીં બન્ને વ્યાપ્તિ થાય છે. બન્નેના એકાદ-બે દૃષ્ટાન્ત મળી આવે છે. પરંતુ સાધ્યસિધ્ધિ થતી નથી. કારણ કે ન્યાયનો નિયમ એવો છે કે એકાદ દૃષ્ટાન્તમાં સાધ્યાભાવની સાથે હેત્વભાવ મળી આવે તે ન ચાલે, પરંતુ જ્યાં જ્યાં સાધ્યાભાવ હોય ત્યાં ત્યાં સર્વત્ર હેતુઅભાવ હોવો જોઈએ અર્થાત્ સાધ્યાભાવની સાથે વ્યાપકીભૂત એવો હેતુઅભાવ હોવો જોઈએ, જે તમારા અનુમાનમાં નથી. કારણ કે સાધ્યાભાવ જે પ્રાપ્યકારિતાનો અભાવ એટલે કે અપ્રાપ્યકારિતા, તે જ્યાં જ્યાં હોય ત્યાં ત્યાં બાઘેન્દ્રિયતાનો અભાવ જ હોય એવો નિયમ નથી. કારણ કે અપ્રાપ્યકારિતા અને બાહ્યેન્દ્રિયતા એ બન્ને વિરોધી નથી. માટે સાથે પણ હોઈ શકે છે. તેથી તમારો હેતુ સંદિગ્ધવ્યભિચારિ છે જ. ૫૩ = बाह्येन्द्रियत्वं सकलङ्कमेवं, न तार्किकान् प्रीणयितुं तदीष्टे । भ्रूविभ्रमो दुर्भगभामिनीनां वैदग्ध्यभाजो भजते न चेतः ॥ ५४ ॥ દુર્મજ્ઞમિનીનાં = દૌર્ભાગ્યના ઉદયવાળી સ્ત્રીઓના, ભૂવિશ્વો = નેત્રના કટાક્ષો, वैदग्ध्यभाजः ચતુરાઈવાળા માણસોના શ્વેત: ચિત્તને, જેમ પ્રીયિતું ન મનતે = For Private & Personal Use Only = www.jainelibrary.org
SR No.001266
Book TitleRatnakaravatarika Part 1
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJina Dharm Prakashan Trust Surat
Publication Year2008
Total Pages506
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy