SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ ચક્ષની પ્રાપ્ત-અપ્રાપ્યકારિતાની ચર્ચા ૨૯૧ તથા = તથા વળી બીજો દોષ પણ આવે છે. તે લખે છે. સ્મિન્ પક્ષે = આ પક્ષમાં, સાધનશૂન્યતા = હેતુરહિતતા નામનો, વૃષ્ટાન્ત ટોપ: = ઉદાહરણનો દોષ આવે છે તે વાત, પર્નામ્ = ચતુર માણસોને પ્રદો = અતિશય સ્પષ્ટ દેખાય છે. યક્ = કારણ કે નિહેન્દ્રિયં = રસના નામની ઇન્દ્રિય, અર્થાશ્રd = પદાર્થ પાસે જઈ આશ્રિત થતી હોય એવું, સમી = આ ચતુરપુરૂષોએ, વારિત્ = ક્યારે પણ ન વિનાયામસુર = જોયું નથી. જૈનાચાર્યશ્રી નૈયાયિકને કહે છે કે હે નૈયાયિક ! તમારો “બાધેન્દ્રિયત્ન”નો અર્થ બહિર્દેશે સ્થાયિત્વ, અને તેમાં પણ વિષયપ્રદેશ, અને તેમાં પણ વિષયાશ્રિત કરવામાં હેતુનો (અન્યતરાસિધ્ધ હેત્વાભાસ થવાનો) એકદોષ અમે તમને ૪૩ મા શ્લોકમાં જણાવી ગયા છીએ. હવે તમારા તે જ અનુમાનમાં આ અર્થ કરવામાં તમને બીજો દષ્ટાતદોષ લાગે છે તે જણાવીએ છીએ. અનુમાનમાં દોષો અનેક જાતના હોય છે. પક્ષાભાસ તે પક્ષદોષ, સાધ્યાભાસ તે સાધ્યદોષ, હેત્વાભાસ તે હેતુદોષ, આ જ રીતે દૃષ્ટાત યથાર્થ ન હોય તે દૃષ્ટાતાભાસ એટલે દષ્ટાતદોષ કહેવાય છે. તે દોષ તમને લાગે છે. અનુમાનમાં એવો નિયમ છે કે જે અન્વયદેષ્ટાન્ત હોય તેમાં હેતુ અને સાધનો સહચાર વિદ્યમાન જોઈએ, અને વ્યતિરેકદૃષ્ટાતમાં તે બન્ને હેતુ-સાધ્યનો અભાવ હોવો જોઈએ. જેમકે પર્વતો, વહ્નિHI, ઘુમા, માનવત, દૂર્વવત્, આ અનુમાનમાં અન્વયદેષ્ટાનત મહાનસ અને વ્યતિરેક દેખાત હૃદ આવે છે. તેની જેમ અન્વય વ્યતિરેક હોવું જોઈએ. હવે તમારૂં અનુમાન તમે જ જુઓ. રક્ષા, પ્રાપ્યારિ, વોિજિત્વા, નિવત્ - શ્લોક-૧ આ અનુમાનમાં તમે જે નિર્દી ઇન્દ્રિયનું દૃષ્ટાન્ન આપ્યું છે. તેમાં પ્રારિ સાધ્ય વર્તે છે. પરંતુ વિષય પાસે જઈ, તેને ચોંટી જઈ, તેને આશ્રિત થઈ જવું એ અર્થવાળો “બાહોન્દ્રિયત્ન” હેતુ તેમાં ઘટતો નથી. તેથી તમારું દૃષ્ટાન સાધનથી શૂન્ય બને છે. માટે તમને સાધનશૂન્યતા નામનો દેખાત્તદોષ લાગે છે એમ અનુમાન પ્રમાણના અનુભવી ચતુરપુરૂષોને પ્રગટ આ દોષ દેખાય છે. કારણ કે કદાપિ સ્વપ્નમાં પણ જિહાઇન્દ્રિય મુખમાંથી નીકળીને વિષયવાળા દેશમાં જઈ તેને આશ્રિત થતી કે થયેલી હોય એવી વાત અનુભવી પટુપુરૂષોએ જોઈ નથી. માટે તમને આ અર્થમાં અન્યતરાસિધ્ધ હેત્વાભાસ અને સાધનશૂન્યતા દેષ્ટાન્તદોષ લાગશે. I૪૪ો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001266
Book TitleRatnakaravatarika Part 1
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJina Dharm Prakashan Trust Surat
Publication Year2008
Total Pages506
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy