SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ ચક્ષની પ્રાપ્ત-અપ્રાપ્યકારિતાની ચર્ચા ૨૮ ૧ (આ ઉંદર છે એવી) fધપUT = બુધ્ધિ થાય છે. તે બુધ્ધિ રુન્ત = ખરેખ અહીં વાર્થ ન પ્રોવ્રુત્તેિ = કેમ થતી નથી? જૈનાચાર્યશ્રી નૈયાયિકને સમજાવે છે કે હે નૈયાયિક ! જો બિલાડીની આંખમાંથી રશ્મિચક્ર જેવાં કોઈ કિરણો નીકળતાં હોત અને ઉંદર આદિ શેય પદાર્થો ઉપર પડતાં હોત તો, જેમ દેદીપ્યમાન દીવાની જ્યોતથી વ્યાપ્ત બનેલો ઉંદર તને દેખાય છે. તેમ આ બિલાડીના નેત્રના કિરણોથી વ્યાપ્ત થયેલો ઉંદર તને કેમ દેખાતો નથી ? ઘટપટને દેખાડનાર દીપક કદાચ કોઈથી આવૃત હોય તો ભલે કદાચ ન પણ દેખાય, પરંતુ દેદીપ્યમાન દીપકના તેજથી વ્યાપ્ત એવા ઉંદર-ઘટ-પટાદિ શેયપદાર્થો તો મનુષ્યોને દેખાય જ છે. તેવી જ રીતે હે તૈયાયિક ! જો બિલાડીના નેત્રોમાંથી રશ્મિચક્ર નીકળતાં હોય તો જ્યોતની સમાન રશ્મિચક્ર, અને તેનાથી વ્યાપ્ત એવા ઉંદર-ઘટ-પટાદિ પદાર્થો તને (અર્થાત્ સામાન્ય મનુષ્યોને) કેમ દેખાતા નથી ! માત્ર બિલાડીને જ ઉંદર આદિ દેખાય છે. પરંતુ તને, અમને કે સામાન્ય મનુષ્યને કોઈને દેખાતા નથી. માટે કંઈક સમજ કે તે બિલાડીના નેત્રમાંથી રશ્મિચક્ર નીકળતા જ નથી. રશ્મિચક્ર છે જ નહીં. માત્ર બિલાડીઓના નેત્રની આવી યોગ્યતા = શક્તિવિશેષ જ છે કે જે અંધારામાં પણ શેયને જોઈ શકે છે. ૩૩ कृशतरतया तेषां नो चेदुदेति मतिस्तव, प्रभवति कथं तस्याऽप्यस्मिन्नसौ निरुपप्लवा ? घटननिपुणा साक्षात् प्रेक्षाविधौ हि ततिस्त्विषां, न खलु न समा धीमन् ! सा चोभयत्र विभाव्यते ॥३४॥ વળી હે નૈયાયિક ! વેલ્ = જો, તેષાં = તે બિલાડીનાં નેત્રકિરણો, શતરતા = અતિશય પાતળાં હોવાના કારણે, અતિશય સૂક્ષ્મ હોવાના કારણે, તવ = તને (અમને તથા સામાન્ય મનુષ્યને) મતિઃ = “આ ઉંદર છે” એવી બુધ્ધિ, નો ડતિ = થતી ન હોય, તથાપિ = તો તે બિલાડીને પણ, મન = આ ઉંદરને વિષે, મ = આ ઉંદર છે” એવી બુધ્ધિ, નિસ્બનવી = નિર્વિદનવાળી, શર્થ yભવત = કેમ હોઈ શકે? દિ = કારણ કે, સાક્ષાત્ પ્રેક્ષાવથ = સાક્ષાત્ વસ્તુ દેખાડવાની વિધિમાં, ઘટનનિપુOT = સામર્થ્યથી નિપુણ એવી ત્રિપાં તતિ = કિરણોની પંક્તિ, ધીમદ્ = હે બુધ્ધિશાળી નૈયાયિક ! ન સમ – ૧, = ખરેખર સમાન નથી એમ નહીં પરંતુ સમાન જ છે અને, સી = તે કિરણોની પંક્તિ, ૩મત્ર = બન્ને જગ્યાએ, વિમા તે = જણાય જ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001266
Book TitleRatnakaravatarika Part 1
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJina Dharm Prakashan Trust Surat
Publication Year2008
Total Pages506
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy