SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૫ રત્નાકરાવતારિકા ગથ = હવે, મલ્લુ = હો, = ઈચ્છા મુજબ, નવું = ખરેખર, ત્વથા = હે નિયાયિક ! તારાવડે મ0 = આ કટકુટ્યાદિનું, તૈનસત્વમ્ = તૈજસપણે પણ, નિત = સ્વીકારાયેલું, હિં જ મવેત્ = કેમ નહી થાય? તથા = તેમ થવાથી, કુપ: = તારો માનેલો, પણ = આ આલોકના સહકારથી બધું જ પ્રકાશક અને તૈજસ બને છે. આ માર્ગ તૈનસત્વે = તૈજસપણાની માન્યતામાં, નવ્ય = અપૂર્વ એવો, સ્વૈતપ્રવાહો = અદ્વૈતવાદ જ, મનન = થયો. હવે કદાચ તૈયાયિક એમ કહે કે ચક્ષુ તેજસ છે અને આલોકના સહકારથી પ્રકાશક બને છે. એમ અમે જ્યારે માનીએ છીએ ત્યારે તમે જૈનો અમને કટકુઢ્યાદિમાં આલોકના સહકારથી પ્રકાશકપણાની આપત્તિ આવશે એમ કહો છો તો તેની સામે અમે જણાવીએ છીએ કે સારૂં. તે કટકુટયાદિ પણ શામ = તમારી ઈચ્છા મુજબ ભલે પ્રકાશક હો, અર્થાત્ તે કટકુદ્યાદિને પણ અમે પ્રકાશક માનીશું. તો તેનું ખંડન કરતાં જૈનાચાર્યશ્રી જણાવે છે કે આલોકના સહકારથી કટકુટ્યાદિ જો પ્રકાશક બને છે એમ હે તૈયાયિક ! જો તમે કહેશો તો (એક તો પ્રત્યક્ષબાધ દોષ આવશે જ, કારણ કે આલોકનો સહકાર મળવા છતાં ચક્ષુની જેમ કટકુટ્યાદિ પ્રકાશક થતાં દેખાતાં નથી તથા વળી) આલોકના સહકારથી ચક્ષુની જેમ કટકુટ્યાદિનું પ્રકાશકપણું તમારા વડે સ્વીકારાયું, તેમ આલોકના સહકારથી ચક્ષુની જેમ કટકુટ્યાદિ તૈજસ છે એમ પણ સ્વીકારાયેલું કેમ નહી થાય? અને આ રીતે જે વસ્તુ સ્વયં પોતે અપ્રકાશક અને અતૈજસ છે છતાં તે વસ્તુ જો આલોકના સહકારથી જ પ્રકાશક અને તૈજસ બની જતી હોય તો જગતના સર્વે પદાર્થમાત્ર આલોકના સહકારથી જ પ્રકાશક અને તૈજસ થવા લાગશે, જગતમાં કોઈપણ પદાર્થ પ્રકાશકત્વ અને તૈજસત્વ વિનાનો રહેશે નહીં, આ રીતે પ્રકાશકત્વ અને તેજસત્વની બાબતમાં તમારો આ કોઈ નવો જ અદ્વૈતવાદ સિધ્ધ થશે. આલોકના સહકારમાત્રથી વસ્તુ પ્રકાશક અને તૈજસ બની જાય એવું અમે ક્યાંય જોયું પણ નથી અને સાંભળ્યું પણ નથી. એટલે જગતથી વિરુદ્ધ એવો તમારો આ કોઈ નવો જ (અપૂર્વ જ) માર્ગ (મત) સિદ્ધ થશે. ૨૬ उत्पद्यन्ते तरणिकिरणश्रेणिसंपर्कतश्चेत्, तत्रोद्भूताः सपदि रुचयो लोचने रोचमानाः । यद् गृह्यन्ते न खलु तपनालोकसंपत्प्रतान, स्तस्मिन् हेतुर्भवति हि दिवा दीपभासामभासः ॥२७॥ ત્ = હવે જો નૈયાયિકો ! તમે આમ કહેશો કે તળિ = સૂર્યના શિરપાળિ = Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001266
Book TitleRatnakaravatarika Part 1
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJina Dharm Prakashan Trust Surat
Publication Year2008
Total Pages506
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy