SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ (૨) . ચી ગુણસ્થાન પૃચ્છની-વિનયપૂર્વક તવપૃચ્છા કરવી. માધ્યસ્થભાવ જાળવીને પૂછવું. કદાગ્રહ રાખ્યા વિના પૂછવું. (૩) પરાવર્તન –શીખેલા સિદ્ધાંતને પુનઃ પુનઃ પાઠ વગેરે કરવા. () ધર્મકથા–શ્રોતાઓ સમક્ષ સિદ્ધાંતને વિધિપૂર્વક શાસ્ત્રચુસ્ત રહીને સંભળાવવા તથા, (૫) ચિંતન-મેળવેલા તત્વની પુનઃ પુનઃ ચિંતા કરવી, સૂક્ષમ વિચારણા કરવી, ઊહાપોહ કરે. (૬) ભાવના–તે તે સિદ્ધાંતને આત્મામાં ભાવિત કરી દેવા ફરી ફરી. તેનું રટણ કરવું. ભાવના એટલે પુટ. સુવર્ણને એકદમ ચેમ્બુ કરવા સંપુટમાં, કુલડીમાં મૂકી ફરી ફરી તપાસવારૂપ ભાવના– પુટ દેવાય છે ત્યારે તે શુદ્ધ થાય છે. તેમ જુદી જુદી રીતે તત્વ-ચિંતા કરવાથી આત્માની-જ્ઞાનની નિર્મળતા પ્રાપ્ત થાય છે. બીજકથાને પ્રેમ–શુદ્ધ શ્રદ્ધા : ગના બીજેની કથા સાંભળતાં અતિ ઉલ્લાસ થાય. “એ એમ જ છે” એવી શ્રદ્ધા થાય. એ પણ ગ–બીજ છે. આથી જ ગ-બીજવાળા રોગીઓ જ્યારે જ્યારે તત્વશ્રવણું કરે છે ત્યારે તેમનાં સંવે રૂંવાં ખડાં થઈ જાય છે. એમનું અંતર આનંદમય થઈ જાય છે. પુનઃ પુનઃ અંતરમાં પિકારી ઊઠે છે, ગુરુદેવ જેવું કહે છે તેવું જ છે! કેવું અદભૂત તત્વ! કેવા ભગવાન! કેટલા ઉપકારી !” યદ્યપિ અહીં સમ્યગ્દર્શનના ઘરની રુચિ નથી કિન્તુ એ રુચિને તાણી લાવે તેવી તત્વ-રૂચિ જરૂર છે. બીજકથામાં ઉપાદેયભાવ : આ છેલ્લું ગ–બીજ કહ્યું છે. બીજથા સાંભળતાં તે બીજ અત્યંત ઉપાદેય લાગે, તેની ઉપર : ભારે આદર જાગે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001256
Book TitleChaud Gunsthan
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Principle, B000, & B030
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy