SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૪ ચોટ ગુણસ્થાના જઈએ એટલે પ્રાયશ્ચિત્તની નિરર્થકતા તે રહેતી જ નથી. કર્મ નિત. જડતાથી અનેક નિબળ અતિચારે લાગે તેને તેટલા જ બળવાળા તુલ્યગુણ-પ્રતિપક્ષી અધ્યવસાયપૂર્વકનું પ્રાયશ્ચિત્ત ટાળી દે અને એકપણ બળવાન (અધિક ગુણ) અધ્યવસાય ઘણા અતિચારોની અશુદ્ધિને પણ ખતમ કરી શકે છે. પ્ર. માનસિક વિકાર વિશુદ્ધિબળથી ટળી જાય તે વાત માનીએ પણ કાયિક દુષ્ટ પ્રવૃત્તિ વિશુદ્ધિબળથી કેમ ટળી શકે? ઉ. સંજવલન કષાયના ઉદયથી મુનિને લાગતા અતિચારે પણ માનસિક વિકારરૂપ જ છે અને દ્રવ્ય અતિચાર રૂપ કાયિક દુષ્ટ પ્રવૃત્તિ તો જડ છે તે ડી જ ભાવશુદ્ધિથી ટળી શકે છે. આ રીતે અર્થપદ ચિન્તન કરવું જોઈએ, વિશેષાર્થીએ ઉપદેશ. પદાદિ ગ્રન્થ જોઈ લેવા. યતિધર્મનું એથું (વિશિષ્ટ) કતવ્ય: વિહાર–ગીતાર્થની નિશ્રાપૂર્વક આગમાનુસારે અપ્રતિબદ્ધ વિહાર કરે. દ્રવ્ય-ક્ષેત્રાદિ પ્રતિબન્ધ (રાગાદિ ત્યજીને માસકમ્પાદિના ક્રમથી અન્યાન્ય સ્થાને જવું તે વિહાર કહેવાય છે. દ્રવ્યથી ભક્તિવાળા શ્રાવકોમાં, ક્ષેત્રથી પાવન-ઉજાસવાળા ઉપાશ્રયાદિમાં, કાળથી શિશિર આદિ તુમાં, ભાવથી શરીરપુષ્ટિ વગેરેમાં રાગાદિ કરવારૂપ ચાર પ્રકારને પ્રતિબંધ છે. મુનિ આવા પ્રતિબન્ધથી મુક્ત હોય. ઉક્ત પ્રતિબધથી ઉત્સર્ગ માર્ગે એક સ્થાને એક માસથી અધિકરહી શકાય નહિ અને એવા પ્રતિબન્ધાથી લાંબા વિહાર કરીને પણ બીજા ગામે જઈ શકાય નહિ એ રીતે ઉગ્રવિહારીને ઈલ્કાબ. મેળવવાની ભાવના રાખવી તે મહાપાપ છે. અપવાદ માર્ગે ચૂનાધિક માસકલ્પ પણ કરી શકાય. દુષ્કાળાદિના ભયે શેષકાળમાં ૧ સ્થાને એક માસથી ન્યૂનકે. અધિક રહી શકાય. તેમ ૯ મા ચાતુર્માસ રૂપ માસકલ્પમાં પણ અધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001256
Book TitleChaud Gunsthan
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Principle, B000, & B030
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy