SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૮ ચૌદ ગુણસ્થાન હા, દુમન આવીને કેઈને વાળ પણ તાણે તે તે જરૂર દુષ્ટ ગણાય છે. એ રીતે માતાપિતાને તરછોડીને નવેઢા સાથે નીકળી જનાર પુત્ર પણ કુલાંગાર ગણાય છે, પરંતુ ભાવમાં માતાપિતાના એકાત હિતની પ્રત્યુપકારની દૃષ્ટિથી જે પુત્ર તેમને ત્યાગે છે તે પુત્ર અજ્ઞાનતાથી કલેશ કરનારા માતાપિતાદિના કલેશને જનક બનતું નથી. પરમાત્મા મહાવીરદેવે ગ્લાનૌષધ ન્યાયે માતાપિતાને ત્યાગ ન કર્યો કેમ કે એ ત્યાગ પાછળ ભાવમાં માતપિતાના પ્રત્યુપકારને ઉદ્દેશ જળવાતું ન હતું. કેમ કે એ ત્યાગની સાથે જ સેપકમ એવું માતપિતાનું આયુ પૂર્ણ થઈ જવાની સંપૂર્ણ શક્યતા તેઓએ જ્ઞાનબળથી જોઈ લીધી હતી. દરેક કાર્યને ઉદ્દેશ જાળવવું જોઈએ. ઉદ્દેશ ન જળવાય તે તે કાર્ય અકાર્ય રૂપ બની જાય છે. દૂધ વગેરે પીવાથી પુષ્ટિ મેળવવી છે. પણ જેને પુષ્ટિને ઉદ્દેશ ન જળવાતું હોય એવા સંગ્રહણવાળાને તે દૂધ ત્યાજ્ય જ બની જાય છે. એને પુષ્ટિ પ્રાપ્ત કરવાને ઉદ્દેશ બર લાવવા દૂધ છેડી દેવું પડે છે અને દહીં લેવું પણ પડે છે. મહાવીરદેવના પ્રસંગમાં પણ આમ બન્યું હતું માટે જ તે વિરક્ત બની જઈને સંયમમાર્ગે ચાલ જવાનું સાહસ ન કરી બેસે. (તેવું સાહસ ન કરે તે તે ચારિ. મેહ, કર્મ તૂટી પડે. કેમ કે તે કર્મ સે કમ હતું. તેમ થાત તે બીજી બાજુ માતપિતાનું મૃત્યુ થઈ જાત) તે માટે તેમને અભિગ્રહ કરે પડ્યો હતે. માતપિતાના કાળ પછી તેઓ સાધિક બે વર્ષ સંસારમાં રહ્યા ત્યાં પિતે જ્ઞાનબળથી તેટલું નિકાચિત્ ભેગાવલિ કર્મ જેયું હતું, માટે રહ્યા હતા, નહિ કે માત્ર ભાઈના આગ્રહથ. એટલે વિશિષ્ટ જ્ઞાનબળી જે કરે તે રસ્તે જઈને જ આપણે કાર્ય કરવું તેવા નિયમ ન બંધાય. જ્ઞાની અને અજ્ઞાની બેયના કાર્ય અને કાર્યના રસ્તા સરખા હોઇ શકતા નથી. અજ્ઞાની તે જ્ઞાનીએ કહ્યા મુજબ કરનારે હોય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001256
Book TitleChaud Gunsthan
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Principle, B000, & B030
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy