SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવકની દિનચર્યા (ગૃહસ્થને વિશેષ ધર્મ) | [૧૪] પ્રાત:કાળે : નવકાર મંત્રના સ્મરણપૂર્વક જાગવું. જાગ્યા પછી દ્રવ્ય-ક્ષેત્રાદિથી પોતાના આત્માને વિચાર કરે. દ્રવ્યથી હું કેણ છું ? મારા ગુરુ કેણ ? વગેરે, વગેરે, ક્ષેત્રથી હું કયાં છું? શહેરમાં કે ગામમાં? કેટલામા માળે ? કયા ઓરડામાં ? કાળથી અત્યારે રાત્રિ છે કે દિવસ? રાત્રિએ પણ અત્યારે કર્યો પ્રહાર છે? કયે સમય છે? ભાવથી હું ક્યા કુલને છું? મારો ધર્મ કર્યો? અથવા મારે ક્યાં વ્રતે પાળવાનાં છે? ઈત્યાદિ સ્મરણ કરવું. બાદમુહુર્તમાં (સૂર્યોદય પહેલાં ૯૯ મિનિટે લગભગ ૧ કલાકે) શ્રાવકે જાગી જઈને ઉપરોક્ત વિચારણા કરવી જોઈએ. નમસ્કાર સ્મરણ કરીને ધર્મચિન્તા કરવી. આમ ધર્મરકૃતિ પ્રાત થયા બાદ સામયિક પ્રતિક્રમણ કરવું. તે શક્ય ન હોય તે વિશ્વનાં તીર્થો, જિનમંદિર, પ્રતિમાજી વગેરેને સ્થળપૂર્વક યાદ કરીને વંદના કરવી. વિચરતા ૨૦ વિહરમાન તીર્થકરને શત્રુંજય તીર્થાધિરાજને વંદના કરવી. તેમની સ્તુતિ કરવી, મહાન સંતે અને સતીઓને યાદ કરવા, ઉપકારીના સ્મરણ કરવા, મંત્રી આદિ ભાવના ભાવવી, પછી પચ્ચખાણ ધારી લેવું અથવા આત્મસાક્ષીએ કરી લેવું, શ્રાવક ઓછામાં ઓછું બે ઘડીનું નવકારશી-મુસીનું પચ્ચખાણ અવશ્ય કરવું. ત્યાર બાદ જિનમંદિરે જઈને પરમાત્માના દર્શન-પ્રણામ અને -સ્તુતિ કરવી. પછી ધૂપ-દીપાદિ પૂજા કરવી, ચૈત્યવંદન-સ્તવના કરીને પચ્ચખાણ લેવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001256
Book TitleChaud Gunsthan
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Principle, B000, & B030
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy