SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ ચોદ ગુણસ્થાન ૨૦૫ ઉપરોક્ત પાંચેય કાર્ય સ્પષ્ટ ચેરીરૂપ છે છતાં અનાગાદિથી લેવાય ત્યારે અતિચારરૂપ બને છે એમ સમજવું. - વ્રતના પાલન-અપલથી ગુણ-દોષ : શ્રી સ. પ્ર. ની ૩૩-૩૪ મી ગાથામાં કહ્યું છે કે ત્રીજા વ્રતના પાલનથી સર્વ મનુષ્યને વિશ્વાસ, તેમની પ્રશંસા, ધનાદિની વૃદ્ધિ, નિર્ભયતા, ઠકુરાઈ, સદ્ગતિ વગેરે ઘણાં ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે. ચોરી વિના નીતિથી મેળવેલું ધન ગમે તેવા સંગમાં નાશ પામતું નથી; હાઈ જતું નથી. આ વ્રતને પાલક ભાવમાં રાજાદિના ઉચ્ચ અધિકાર પ્રાપ્ત કરે છે. ચેરી કરનાર મનુષ્યને આ જન્મમાં ગધેડા વગેરે ઉપર બેસીને ભારે વિટંબણાઓ વેઠવાને અવસર આવી જાય છે, શૂળી વગેરેની સજા પણ મળે છે. પરલોકમાં નારકાદિના ઘેર દુઃખ વેઠે છે. ત્યાંથી નીકળીને ય માછીમાર, પૂંઠા, બહેરા વગેરે થાય છે. ત્રીજા વતની ભાવના : જેમની આંખેને તણખલાં કે મણિમાં કશી વિશેષતા જ દેખાતી નથી, બે ય તુલ્ય દેખાય છે, તેમના સર્વ પ્રકારના પાપથી જેઓ વિરામ પામ્યા છે તે સર્વ શ્રમણને અંતરના નમસ્કાર, ત્રીજા વતની કરણું : (૧) વ્યવહાર પ્રામાણિક રાખવા. (૨) રસ્તે પડેલી ચીજ લેવી નહિ. (૩) બેટા તેલા વગેરે રાખવા નહિ. (૪) ચોરીના ધંધાને ઉત્તેજન આપવું નહિ. * શું, સ્થૂલ અબ્રહ્મ વિરમણવ્રત : વતસ્વરૂપ : બે પ્રકાર–સ્વસ્ત્રમાં સંતોષ અથવા પર ત્યાગ રૂપ આ વ્રત છે. વસ્ત્રી એટલે પરિણત એક કે અનેક સ્ત્રી. પરસ્ત્રી એટલે અન્ય મનુષ્યની પરિણીત સ્ત્રી કે રખાત વગેરે મનુષ્ય લેકની સ્ત્ર, દેવકની પરિગૃહીતા–અપરિગ્રહતા દેવી,, પશુજાતની સ્ત્ર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001256
Book TitleChaud Gunsthan
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Principle, B000, & B030
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy