SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ચૌદ ગુણસ્થાન આવું કરનારે જે કાયાથી અસત્ય નહિ બોલું તેવા ભાંગે અથવા કાયાથી અસત્ય બોલવું નહિ, બેલાવવું નહિ, તેવા ભાગે વ્રત લીધું હોય તે તેને તે આમ કરવાથી વ્રતને ભંગ જ થાય છે તે પણ વગર વિચાર્યું, અજાણતાં, કે અતિક્રમ વગેરેથી લખાઈ જાય છે, ત્યારે તે અતિચારરૂપ બને છે. અથવા તો અસત્ય એટલે જૂઠું બેલવાને નિયમ છે આ તે લખાણ છે તેથી વતને કશે બાધ નથી એવી સમજણવાળ વતને સાપેક્ષ છે માટે તે પ્રવૃત્તિ વ્રતભંગરૂપ ન બનતાં અતિચારરૂપ બને છે. પ. ગુપ્ત મત્રભેદ : વિશ્વાસુ સ્ત્રી-મિત્રાદિની વિશ્વાસથી જણાવેલી વાત જાહેર કરવી. યદ્યપિ જેવું એવું કહ્યું તેવું જ જાહેર કરવાથી તે સત્યવચન હેવાથી અતિચાર લાગતું નથી તથાપિ પિતાની ખરાબ વાત પ્રગટ થતાં-લજજાદિના ગે મિત્ર કે સ્ત્રીના આપઘાતને સંભવ હેવાથી પરપીડાકારી તે સત્યવચન અસત્યરૂપ જ બને છે. આમ અહીં સ્વરૂપે સત્ય અને પરિણામે અસત્ય હેવાથી દેશથી વ્રતભંગ અને દેશથી વ્રતરક્ષા હેવાથી આ પ્રવૃત્તિને બીજા વ્રતના અતિચારરૂપ કહેવાય. પ્ર. ત્રીજામાં ગુહ્ય ભાષણ કરવું અને પાંચમામાં વિશ્વાસુની ગુમ વાત જાહેર કરવી-આ બે ય અતિચાર એક સ્વરૂપ બનતા નથી? ઉ. ના, ગુહ્ય ભાષણમાં ઈશિતાદિ આકાર દ્વારા અનુમાનથી બીજાની વાત જાણી લઈને કહેવાઈ છે. જ્યારે પ મા અતિચારમાં સ્ત્રી આદિએ વિશ્વાસ મૂકીને કહેલી વાત બીજાને કહેવાય છે. એટલે ત્રીજે અતિચાર કલંક કે ચાડીરૂપ છે જ્યારે પાંચમે અતિચાર વિશ્વાસઘાતરૂપ છે માટે બે ય જુદા છે. * વ્રતથી લાભ–અવતથી ગેરલાભ : કન્યાને અકન્યા બોલનારને ભેગાન્તરાય થાય છે, કેષ થાય છે. અગર કન્યા દુષ્ટ હોય તે આપઘાત કરે કે કરાવે, વગેરે અનેક કટુ ફળ આવે છે. આ રીતે બાકીના ૪ ય અસત્યમાં સમજવું (જુઓ પચ્ચ. આવ, ચુ. પા. ૨૮૫) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001256
Book TitleChaud Gunsthan
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Principle, B000, & B030
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy