SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ ચૌદ ગુણસ્થાન ૧૨૫ ૫મું ગુણસ્થાન દેશવિરત આત્માનું છે માટે તેની પૂર્વેના ૧ લા ચારે ય ગુણસ્થાનવત આત્માઓ અવિરત કહેવાય છે. એમાં જે અવિરત આત્મા ક્ષાયિક–ક્ષાપશમિક કે ઔપશમિક સમ્યગ્દષ્ટિ છે તે અવિરત–સમ્યગ્દષ્ટિ આત્મા ૪ થા ગુણસ્થાને કહેવાય છે. આ આત્માઓ જિનેક્ત-તત્વને જ સાચું માને છે અને બાકીનું બધું અતત્વરૂપ માનીને આત્માનું નિકંદન કાઢનારું માને છે. નારકાદિ. અતીન્દ્રિય પદાર્થોનું જિનેશ્વરદેવે નિરૂપણ કર્યું છે માટે તેને તે જ રૂપે સર્વથા માને છે છતાં તેઓ સંસારનો ત્યાગ કરી શકતા નથી. કેમ કે ચારિત્ર મહ. કર્મનું તેમની ઉપર ભાર વજન લદાયેલું રહે છે.. ટૂંકમાં આ આત્માઓ મોક્ષ અને તેના ઉપાયભૂત વિરતિને હૃદયથી, સ્વીકારવા છતાં વિરતિમાર્ગે ચાલી શકતા નથી. વિરતિધર્મનું પાલન કરી શકતા નથી. એમના અનંતાનુબંધી ૪ કષાયને ક્ષયે પશમ થઈ ગયું હોવાથી તેમને સમ્યક્ત્વ (તરવ. રુચિ) પ્રાપ્ત થયું પરંતુ જ્યાં સુધી ચારિત્ર્યમેહનીયકર્મને પેટભેદરૂપ અપ્રત્યાખ્યાનાવરણ ૪ કષાયને ક્ષયપશમ, થાય નહિ ત્યાં સુધી તેઓ દેશથ (અંશથ) પણ પ્રત્યાખ્યાન (વરતિધર્મ) આદરી શકે નહિ. આ અપ્ર. કષાયચતુષ્ટય અલ્પ પણ અટકાવી. રાખે છે. આથી જ આ આત્મા વિરતિ-ધર્મને પાળી ન શકે તે ય.. એટલું પાપ તે કરે જ નહિ છતાં અને જે કાંઈ પાપ-કર્મ કરવું પડે તેને પણ તે કદાપિ સારું માને તે નહિ જ. શાસ્ત્રાકાર ભગવતેએ જ્ઞાન–વીકાર અને પાલનની અષ્ટભંગ. બતાવી છે. વિરતિના સ્વરૂપનું યથાર્ય જ્ઞાન-વિરતિને સ્વીકાર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001256
Book TitleChaud Gunsthan
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Principle, B000, & B030
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy