SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ પૂ. આચાર્ય શ્રી બુદ્ધિસાગરસૂરિજી કૃત પાટ પરંપર નેમસાગરજી, ક્રિયાવંત મહંત । તાસ શિષ્ય શ્રી રવિસાગરજી, વૈરાગી ગુણવંત રે । ॥ એ વાસ્તુકપૂજા ગાઇ en ૪૫ સંવેગી આતમ ગુણરંગી, સુખસાગર ગુરુ રાયા । ગામો ગામ વિહાર કરંતા, વિદ્યાપુરમાં આયા રે । ॥ એ વાસ્તુકપૂજા ગાઇ ॥૧૦॥ શ્રીહીરવિજયસૂરીશ્વરજી મહારાજ સાહેબ થયા (જેઓ અકબર બાદશાહના પ્રતિબોધક હતા) અને જેમનામાં એટલા બધા અમાપ ગુણો હતા કે જેના ગુણો તે કાલે પણ દેવો અને માનવો ભક્તિથી ગાતા હતા. (અને આજે પણ દેવો અને માનવો તેમના ગુણો ગાય છે.) તેમના શિષ્ય શ્રી સહેજસાગરજી (નામના) ઉપાધ્યાય મહાત્મા થયા. III તે સહેજસાગરજી મહારાજશ્રીની શિષ્ય-પ્રશિષ્ય થવા રૂપ પાટ પરંપરામાં શ્રી નેમસાગરજી મુનિ મહારાજશ્રી થયા કે જેઓ ધર્મક્રિયાઓ કરવામાં અત્યન્ત અપ્રમાદી હતા અને મહાન ગૌરવ તથા પ્રભાવવાળા હતા. તેમના શિષ્ય શ્રીરવિસાગરજી નામના મુનિમહારાજશ્રી થયા કે જેઓ અત્યંત વૈરાગ્યવાળા અને ગુણીયલ હતા. [૯] તેમના (રવિસાગરજી મહારાજશ્રી)ના સમુદાયમાં સંવેગી (મુક્તિના તીવ્રઅભિલાષી) અને આત્માના ગુણોના For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001255
Book TitleVastupooja Sarth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Dhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2002
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy