SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ - - - ૩૬ વાસ્તુક-પૂજા વિધિ ઘર આતમને ઓળખ્યું, જેનો રૂડો મહેલ | વાસ ખરો મુજ એહમાં, વસતાં શિવસુખ સહેલ ફી ઢાળ (નમો નમો રે શ્રી શત્રુંજય ગિરિવર-એ દેશી) વાસ્તુક ભાવપૂજા, નિજ ભાવે, ચેતનની શુદ્ધ દાખી રે ! વાસ વસે ચેતન જે મળે, તેહની પૂજા ભાખી રે .. || શ્રી શંખેશ્વર પાસજી ગાવો જે સદ્ગુરુઓએ આત્માનું સાચું ઘર કોને કહેવાય ? તે પોતાની જ્ઞાનદશાથી જાણ્યું છે અને તેઓ આત્માર્થી જીવોને સાચું ઘર જણાવે છે કે, આત્માને રહેવાનો મહેલ (મોહના દોષોથી રહિત હોવાથી) અત્યન્ત રૂડો (સુંદર) છે. ખરેખર તો મારા આત્માનો સ્વભાવ દશાની રમણતા સ્વરૂપ આ રૂડા મહેલમાં વસવાટ હોજો. કે જે મહેલમાં વસવાથી મુક્તિસુખના સ્વાદનો કંઈક પણ અનુભવ થાય છે. II અર્થ :-ચેતન એવા ઓ આત્માની નિજભાવમાં (સ્વસ્વભાવમાં) જે રમણતા એ જ ભાવથી શુદ્ધ (શુભ) વાસ્તુપૂજા શાસ્ત્રોમાં કહેલી છે. જે નિજ ભાવ (શુદ્ધ આત્મ સ્વભાવ)ની મધ્યે આ ચેતન વસવાટ કરે, સ્વસ્વભાવમાં રમે તેવા ઉત્તમ આત્માની જ આ ભાવથી વાસ્તુપૂજા થાય છે. આવું સ્વરૂપ કહેનારા શ્રી શંખેશ્વરમાં બીરાજમાન પાર્થપ્રભુના ગુણો ગાવો (કે જેનાથી ભવનો નિસ્તાર થાય). એ ના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001255
Book TitleVastupooja Sarth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Dhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2002
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy