SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન : અગિયારમું બ હુશ્રત પૂજય જ્ઞાન એટલે આત્મપ્રકાશ. આ પ્રકાશ દરેક આત્મામાં ભર્યો છે. માત્ર તેનાં આવરણે નીકળી જવાં જોઈએ અને ઘટનાં દ્વાર ઊઘડી જવાં જોઈ એ. શાનો અભ્યાસ શોધ માટે છે એમ જાણી તરવજ્ઞ પુરુ શાસ્ત્રોને ભણ્યા પછી ભૂલી જાય છે. અહંકાર એ જ્ઞાનની અર્ગલા છે. અહંકાર ગયો કે પ્રજાને ખુલ્ય સમજ. જ્ઞાનીની પરીક્ષા શીલ (આચાર વિચાર)થી થાય છે. શાસ્ત્રોથી નહિ ! ભગવાન બોલ્યા : (૧) સંયોગ (આસક્તિથી) વિશેષ કરીને મુકાયેલા અને ગૃહત્યાગી ભિક્ષુના આચારને કમપૂર્વક પ્રકટ કરીશ. મને સાંભળે. (૨) જે વૈરાગી બનીને માની, લેભી, અસંયમી અને વારંવાર વિવાદ કરનાર હોય છે, તે અવિનીત અને અબહુશ્રુતી (અજ્ઞાની) કહેવાય છે. (૩) જે પાંચ સ્થાનેથી શિક્ષા (જ્ઞાન) નથી મળી શકતી તે પાંચ સ્થાને આ. પ્રમાણે છે: માન, ક્રોધ, પ્રમાદ, રોગ અને આલસ્ય (આળસ). (૪.૫) વારંવાર (૧) હાસ્ય કીડા ન કરનાર, (૨) સદા ઈન્દ્રિયોનું દમન કરનાર, (૩) મર્મ (કેઈનાં છિદ્રો)ને ઉઘાડાં ન કરનાર, (૪) સદાચારી, (૫) અનાચાર, (૬) અલોલુપી, (૭) ક્રોધ નહિ કરનાર અને (૮) સત્યમાં અનુરક્ત રહેનાર જ શિક્ષાશીલ (જ્ઞાની) કહેવાય છે. શિક્ષાશીલનાં આ સ્થાને છે. ધ : શાંતિ, ઈદ્રિયદમન, સ્વદોષદષ્ટિ, બ્રહ્મચર્ય, અનાસક્તિ, સત્યાગ્રહ અને સહિષ્ણુતા. આ આઠ લક્ષણો જેનામાં હોય તે જ જ્ઞાની છે. માત્ર શાસ્ત્રો ભયે જ્ઞાની બનાતું નથી. (૬) નીચેનાં ચૌદ સ્થાનમાં રહેલ સંયમી અવિનીત (અજ્ઞાની) કહેવાય છે. અને તે મુક્તિ પામી શકતા નથી. " " Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001220
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra
Original Sutra AuthorN/A
AuthorSaubhagyachandra
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year1991
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_uttaradhyayan
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy