SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન : પાંચમું અકામ-મરણીય | મૃત્યુકાળ એ જીવનકાર્યને સરવાળે છે. મરણ તે વારંવાર - થાય છે. કારણ કે પ્રમાદ એ જ મરણ છે, છતાં આ અધ્યયનમાં તે દેહનો ત્યાગ વખતની દશાનું વર્ણન કર્યું છે. આ વર્ણન પરથી તે સ્થિતિની પહેલાં જ સમજી અપ્રમત્ત થવાય તે હેતુ સ્પષ્ટ માલુમ , પછી આવે છે. (૧) દુઃખે કરીને ઊતરી શકાય એવા મહાપ્રવાહવાળા સંસાર સમુદ્રમાંથી અનેક પુરુષ તરી ગયા. ત્યાં મહાબુદ્ધિવાળા એક જિજ્ઞાસુએ આ પ્રશ્નને પૂછો. (૨) દરેક જીવની મર|તે બે સ્થિતિઓ (ભૂમિકાઓ) હોય છે : (૧) અકામ-મરણ અને (૨) સકામ-મરણ નેધ : મરણ સમયે અશાંત રહે અથવા ધ્યેયશૂન્ય મરણ થાય તે અકામ-મરણ અને ધ્યેયપૂર્વક અવસાન થાય તે સકામ-મરણ કહેવાય છે. (૩) બાળકોનું તો અકામ મરણ કે જે મરણ વારંવાર થાય છે અને પંડિત પુરુષનું સકામ મરણ કે જે એક વાર જ થાય છે. ધ : જૈનદર્શન, શુદ્ધ સમ્યકત્વધારી જીવના મરણને પંડિત મરણ માને છે. અને તેવો આત્મા વધારેમાં વધારે સંસારમાં ફરીથી એક જ વાર જન્મ લે -- છે. અને સામાન્ય જીવોને અનેક વાર જન્મમરણ કરવાં પડે છે. (૪) ત્યાં આગળ આ પહેલી રિથતિ મહાવીરે આ પ્રમાણે (તેની) બતાવી છે કે જે ઈદ્રિય વિષયોમાં આસક્ત થયેલ બાળક (મૂખ) ઘણું કર કૃત્યો કરતો. હોય છે. નોંધ : જે અત્યંત કર કૃત્યો જેવાં કે હિંસાદિ કર્મો કરે છે તે જ અકામમરણને અનુભવે છે. (૫) જે કઈ કામભોગોમાં આસક્ત થઈ અસત્ય કર્મોને આચરે છે તેની માન્યતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001220
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra
Original Sutra AuthorN/A
AuthorSaubhagyachandra
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year1991
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_uttaradhyayan
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy