SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ ર૦ર ઉત્તરાયયન સુત્ર નોંધઃ નિમિત્તને અર્થ નિમિતશાસ્ત્ર પણ થાય છે. તે એક તિષનું અંગ છે. તે ખોટી રીતે જોઈ બીજાને ઠગતે હેય તે માણસ પણ આસુરી ભાવનાને પોષે છે. (૨૬૫) ૧. શસ્ત્રગ્રહણ [તલવાર વગેરેથી મરવું] ૨. વિષભક્ષણ [ઝેર ખાઈને મરવું], ૩. જ્વલન [આગમાં બળી મરવું], ૪. જલપ્રવેશ [પાણીમાં મરવું] કે ૫. અનાચારી ઉપકરણે [કુટિલ કાર્યોનું સેવન કરવાથી જીવાત્મા અનેક પ્રકારના નવા જન્મ—મરણે ઉત્પન્ન કરે છે. નંધ: અકાળ મરણથી છવાત્મા છૂટવાને બદલે બમણું બંધાય છે. (૨૬૬) આ પ્રમાણે ભવસંસારમાં સિદ્ધિને આપનાર એવાં ઉત્તમ પ્રકારનાં છત્રીસ અધ્યયનને સુંદર રીતે પ્રગટ કરીને કેવળજ્ઞાની ભગવાન જ્ઞાતપુત્ર આત્મશાંતિમાં લીન થયા. ધઃ જીવ અને અજીવ એ બનેના વિભાગે જાણવા જરૂરી છે. પછી નરક અને પશુછવનમાં દુઃખ, સ્વર્ગ અને મનુષ્ય જીવનમાં સુખદુઃખ આદિ અનેક અવસ્થાવાળા આ વિચિત્ર સંસારમાંથી કેમ છૂટી શકાય તે ઉપાય અજમાવવાની તાલાવેવી લાગે છે. આવી તાલાવેલી પછી દુ:ખમાં પણ સુખ, વેદનામાં પણ શાંતિ અને સંતોષ વિકસતાં જાય છે. એમ કહું છું: એમ જીવાજીવ વિભક્તિ સંબંધી છત્રીસમું અધ્યયન સમાપ્ત થયું. ૩% શાન્તિ: Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001220
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra
Original Sutra AuthorN/A
AuthorSaubhagyachandra
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year1991
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_uttaradhyayan
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy