SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ છવાવવિભક્તિ જ ભાવનામાં જે મૃત્યુ પામે છે તે જીવોને બીજા જન્મમાં પણ બધિ બીજ બહુ જ સુલભ થાય છે. (૨૫૭) જે છ મિથ્યાત્વદર્શનમાં રક્ત, કૃષ્ણલેશ્યા (મલિન અંતઃકરણ)ના પરિ ણામને ધારણ કરવાવાળા અને નિયાણાને કરનાર હોય છે. અને તે ભાવનામાં મરે છે તેવા જીવોને ધિલાભ બહુ જ દુર્લભ છે. (૨૫૮) જે જિનપુરુષોના વચનમાં અનુરક્ત રહી, ભાવપૂર્વક તે વચન પ્રમાણે આચરણ કરે છે તે પવિત્ર (મિથ્યાત્વના મેલરહિત) અને અસંકિલષ્ટ (રાગદ્વેષના કલેશ રહિત થઈ થોડા જ સમયમાં આ દુઃખદ સંસારને પાર પામે છે. ધઃ જિન એટલે રાગદ્વેષથી સર્વથા રહિત પરમાત્મા. (૫૯) જે છ જિનવચનને યથાર્થ જાણી શક્તા નથી તે બિચારા અજ્ઞાનીઓ ઘણીવાર બાળમરણ અને અકામ મરણે પામે છે. (૨૬૦) પિતાના દોષની આલોચના કેવા જ્ઞાની પુરુષ પાસે કહેવી જોઈએ તેમના ગુણ કહે છે: જે ઘણું શાસ્ત્રના રહસ્યને જાણનાર હોય, જેમનાં વચન સમાધિ (શાંતિ)ને ઉત્પન્ન કરનારાં હોય અને જે કેવળ ગુણના જ ગ્રહણ કરનાર હોય તે પુરુષો જ બીજાના દોષની આલોચના માટે યોગ્ય છે. (૨૬૧) ૧. કંદપ કિાયકથાને સંલાપ), ૨. કૌત્કચ [મુખના વિકારવાળી ચેષ્ટા, ૩. કેઈના સ્વભાવની હાંસી અને કુકથા કે કુચેષ્ટાની બીજાને વિસ્મય કરનાર છવ કાંદપી–ભાવના કરતા હોય છે. (૨૬૨) રસ, સુખ કે સમૃદ્ધિની માટે જે સાધક વશીકરણ વગેરેના મંત્ર કે દોરા ધાગા કરે છે તે આભિયોગી ભાવનાને કરતો હોય છે. * ધઃ કાંપી અને આભિયોગી વગેરે દુષ્ટ ભાવનાને કરનાર કદાપિ દેવ થાય તોપણ હલકી કોટિને દેવ બને છે. (૨૬૩) કેવળી પુરુષ, જ્ઞાની, ધર્માચાર્ય તથા સાધુ, સાધ્વી, શ્રાવક કે શ્રાવિકા એની જે નિંદા કરે છે તથા કપટી હોય છે તે કિબિષી ભાવનાને કરતે હોય છે. (૬૪) કાયમ રોષને કરનાર હોય તથા સમય મળતાં શત્રુ બની જાતે હોય, એવા દુષ્ટ કાર્યોથી પ્રવર્તતે જીવ આસુરી ભાવનાને કરતે હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001220
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra
Original Sutra AuthorN/A
AuthorSaubhagyachandra
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year1991
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_uttaradhyayan
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy