SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તરાદયયન સૂત્ર ગમાં જીવ સુખી ક્યાંથી થાય ? ભોગ ભગવતી વખતે પણ તેને તૃપ્તિ હેતી નથી. (૨૯) મનોજ્ઞ રૂપના પરિગ્રહમાં આસક્ત થયેલે જીવ જ્યારે તેમાં અતૃપ્ત થાય છે ત્યારે આસક્તિ વધે છે ને સંતોષ મેળવી શકતો નથી. ત્યારે અસંતોષના દોષ વડે દુઃખી થયેલે તે અત્યંત લેભ વડે મલિન થઈને અન્યનું નહિ દીધેલું પણ ગ્રહણ કરવા માંડે છે. (૩૦) તૃષ્ણાથી પરાભવ પામેલે પ્રાણી અદત્તને લેવા છતાં તે પરિગ્રહમાં તથા રૂપમાં અતૃપ્ત જ રહે છે. અદત્તને હરણ કરનારો તે લેભમાં આકર્ષાઈ માયા અને અસત્ય ઇત્યાદિ દોષને વધારી મૂકે છે છતાં તે દુઃખથી છૂટી શકતો નથી. (૩૧) જૂઠું બેલવા પહેલાં પછી અને પ્રયોગકાળમાં પણ દુષ્ટ હૃદયવાળે તે જીવ દુઃખી થાય છે. તેમજ રૂપમાં અતૃપ્ત રહે અને અણુદીધેલું ગ્રહણ કરનાર હમેશાં અસહાયી અને દુઃખપીડિત રહે છે. (૩૨) એવી રીતે રૂપમાં અનુરક્ત રહેલા જીવને કિંચિત પણ સુખ ક્યાંથી સંભવે ? જે વસ્તુ મેળવવા માટે તેણે અપાર કષ્ટ વેઠેલું તે રૂપના ઉપભાગમાં પણ અત્યંત કલેશ અને દુ:ખ પામે છે. (૩૩) એ જ પ્રકારે અમનેજ્ઞ રૂપમાં દૃષ કરનારા જીવ દુઃખોની પરંપરાઓ ઉત્પન્ન કરે છે. અને દુષ્ટ ચિત્તથી જે કમ એકઠું કરે છે તેનું પરિણામ આ લોક અને પરલેકમાં દુ:ખના જ કારણરૂપ થાય છે. (૩૪) પરંતુ રૂપમાં વિરક્ત થયેલે મનુષ્ય શેક રહિત બને છે, અને જેમ જળમાં ઊગેલું કમળપત્ર જળથી લેપાતું નથી તેમ આ સંસારની વચ્ચે રહેવા છતાં ઉપરના દુઃખસમૂહની પરંપરાથી તે લેખાતો નથી. (૩૫) શબ્દ એ શ્રોત્રેયિને વિષય છે. મને શબ્દ રાગનો હેતુ અને અમને શબ્દ દુષનો હેતુ છે. જે જીવાત્મા તે બન્નેમાં સમભાવ રાખી શકે છે તે જ વીતરાગી છે એમ મહાપુરુષો કહે છે. (૩૬) કાન શબ્દને ગ્રાહક અને કાનને વિષય શબ્દ એમ મહાપુરુષ કહે છે. અમનેશ શબ્દ દુષનો હેતુ અને મનોજ્ઞ રાગને હેતુ છે. (૩૭) જે શબ્દોમાં તીવ્ર આસક્તિ રાખે છે તે સંગીતના રાગમાં આસક્ત થએલા મૃગલાની માફક મુગ્ધ થઈને શબ્દમાં અતૃપ્ત રહી અકાળ મૃત્યુ પામે છે. (૩૮) વળી જે અમનેશ શબ્દમાં તીવ્ર દુશ રાખે છે તે જ ક્ષણે તે દુઃખ પામે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001220
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra
Original Sutra AuthorN/A
AuthorSaubhagyachandra
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year1991
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_uttaradhyayan
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy