SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ પા૫ શ્રમણીય (૧૩) અસ્થિર અને કચકચાટ શબ્દો થાય તેવા આસનને વિષે જ્યાં ત્યાં બેસે કે અસાવધાનતાથી આસન પર બેસે તેમ જ કોઈપણ કાર્યમાં બરાબર ઉપયોગ ન રાખે તે પાપી શ્રમણ કહેવાય છે. (૧૪) રજે ખરડેલા પગને પંજ્યા વિના શય્યા પર સૂવે કે ઉપાશ્રય કે શસ્યાને વિવેકપૂર્વક જુએ નહિ તેમ જ શયામાં સૂતાં સૂતાં અસાવધાનપણે વતે તે પણ પાપી શ્રમણ કહેવાય છે. ધ : આદર્શ સંયમી માટે સામાન્ય ખલન થાય તે પણ પાપ છે. (૧૫) જે દૂધ, દહીં કે તેવા રસવાળા પદાર્થોને વારંવાર ખાધા કરે છે તેમજ તપશ્ચર્યા તરફ પ્રીતિ ધરાવતા નથી તે પણ પાપી શ્રમણ કહેવાય છે. (૧૬) સૂર્યોદયથી માંડીને સૂર્યાસ્ત થતાં સુધી વારંવાર વેળા કવેળાએ આહાર કર્યા કરે અને કોઈ ગુરુ કે વડીલ શિખામણ આપે તો તે ન માનતાં ભિક્ષાની અવગણના કરે છે તે પણ પાપી શ્રમણ કહેવાય છે. (૧૭) જે સદ્ગુરુને ત્યાગી દુરાચારીઓને સંગ કરે છે, છ માસે પોતાના સંપ્રદાયને છેડી બીજા સંપ્રદાયમાં ચાલી જાય છે અને નિંદનીય ચારિત્રવાળા હોય છે તે પાપી શ્રમણ કહેવાય છે. નેધ : સંપ્રદાય એટલે ગુરુકુલ, સાધક જે ગુરુકુલમાં રહીને પોતાની સાધના કરતે હોય છે તેને ખાસ કારણ સિવાય છડીને ચાલી જનારે સ્વછંદી સાધક પતિત થાય છે. (૧૮) પિતાનું ધર (ગૃહસ્થાશ્રમ) છોડીને સંયમી થયો છે છતાં રસ લુપી કે ભોગી બની પર (ગૃહસ્થોનાં) ઘરે ફર્યા કરે અને જોતિષ વગેરે વિદ્યાથી પિતાનું જીવન ચલાવે (તે સાધુનો ધર્મ નથી માટે) તેવું કરનાર પાપી શ્રમણ કહેવાય છે. (૧૯) ભિક્ષુ થયા પછી તો તેને “સુદૌવ દુર ” હોવું જોઈએ. તેમ છતાં સામુદાયિક (બાર કુળની) ભિક્ષાને ન ઈચ્છતાં માત્ર પિતાની જ્ઞાતિને જ આહાર લઈ ભિક્ષા કરે છે તેમજ કારણ સિવાય ગૃહસ્થને ત્યાં વારંવાર બેસે છે તે પાપી શ્રમણ કહેવાય છે. નેંધ : જે કુળમાં અભય (માંસાદિ) આહાર થતા હોય તેમજ હલકા આચારવિચારો હોય તે જ વર્ષ ગણી અન્ય સ્થળેથી ભિક્ષા લેવી એ પ્રમાણે જેનશાસ્ત્રકારોએ જૈન સાધુજીને છૂટ આપી છે. ગૃહસ્થને ત્યાં વૃદ્ધ, રોગી કે તપસ્વી સાધુ જ કારણવશાત બેસી શકે તે સિવાયના તે નહિ જ. કારણ કે ગૃહસ્થના અતિ પરિચયથી પતન અને એક જ્ઞાતિના જ પિંડ લેવાથી બંધ થઈ જાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001220
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra
Original Sutra AuthorN/A
AuthorSaubhagyachandra
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year1991
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_uttaradhyayan
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy