SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ : શિક પ્રવચન તે લેવાની ભાવનાથી થતા પરિગ્રહને ત્યાગ એ સાચો ત્યાગ નથી. આત્મકલ્યાણની દષ્ટિએ થતા પરિગ્રહને ત્યાગ એ જ સાચે ત્યાગ છે. તમે સમાજમાં માન પ્રતિષ્ઠા મેળવવા હજારો લાખનું દાન કરે તે પણ હજારો લાખેના બદલામાં તમારે માન પ્રતિષ્ઠા મેળવવાની જ કામના હોય, તો તે વસ્તુતઃ દાન નથી, પણ એક પ્રકારને વેપારી દે છે. - પરિગ્રહને પાપ માની, પરિગ્રહ એ માનવજાતને વિનાશ કરનાર ભયંકર દુઇ ગ્રહ છે એમ માની કરેલે પરિગ્રહત્યાગ એ જ સાચે ત્યાગ છે. ત્યાગના બદલામાં વધુ લેવાની દુષ્ટબુદ્ધિ ન જોઈએ. - પરિગ્રહને રાગ-મમતા છૂટી જવી જોઈએ. માટે તે નવ પ્રકારના બાહ્ય પરિગ્રહને ત્યાગ તે અનંતીવાર સાધુપણું સ્વીકારતાં કર્યો, પણ ૧૪ પ્રકારને આંતર પરિગ્રહનો ત્યાગ કર્યો નહિ,માટે તા બાહ્ય પરિગ્રહને કરેલ ત્યાગ નિષ્ફળ ગયે. દષ્ટિ અંદરમાં રાખીને મસાધના થાય છે. બહારમાં દષ્ટિ રાખીને સાચી આત્મસાધના ન થાય. - પરિગ્રહથી આરંભ-સમારંભ વધે છે અને આરંભ–સમારંભથી પાપે વધે છે અને પાપો વધવાથી જન્મમરણરૂપ સંસાર વધે છે. માટે જન્મ-મરણરૂપ સંસારનો નાશ કરવા પરિગ્રહનો ત્યાગ અનિવાર્ય છે. પણ શુદ્ધ આત્મકલ્યાણની કામનાથી પરિગ્રહને ત્યાર થાય તે જ આત્મવિકાસ થાય. ઉપર ઉપરના પરિગ્રહત્યાગથી ત્યાગી ન બની શકાય. પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001219
Book TitleShodashak Pravachano
Original Sutra AuthorN/A
AuthorDharmguptavijay
PublisherPremsurishwarji Jain Sahitya Prakashan Trust Ahmedabad
Publication Year
Total Pages144
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy