SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ શક પ્રવચન : ૧ ભાવનમસ્કારથી કર્મસત્તા પણ નમે સિદ્ધાંમાં બુદ્ધાણં સૂત્રમાં “કવિ નમુનિનવા વરદા વનura સંશા તાજા ન વા ના ઘા” કહ્યું છે. રાગવરૂપી ભલેને જીતે તે જ સાચે વીર કહેવાય. આવા વીરને કરેલે એક પણ ભાવનમસ્કાર ભવ્ય આત્માને ભવસાગરથી તારી દે છે. ગુણીને કરેલે નમસ્કાર તે ગુણરૂપી લક્ષ્મીને આત્મઘરમાં પધારવા માટેનું આમંત્રણ છે. આમંત્રણ મળતાં જ ગુણરૂપી લકમી વરમાળા લઈને રુમઝુમ કરતી આવીને નમસ્કતના ગળામાં વરમાળા આરોપ છે. ગુણી બનવા ગુણને ભાવથી નમસ્કાર કરતાં શીખવું જોઈએ. જિન એવા વીર બનવા માટે મહાવીર પરમાત્માની સત્કૃષ્ટ સંચમ સાધના, તપ સાધના, ધ્યાન સાધના, ક્ષમા સાધના તરફ લક્ષ બાંધીને ચાલવું પડશે. મારા મહાવીર ભગવાને રાગદ્વેષને જીત્યા, ઘર ઉપસર્ગો અને પરીસહન વિરાટ સેનાને ક્ષમાના શસ્ત્રથી ભગાડી તો હું પણ એ જ કામ કરું, સાચે સેવક તે જ કહેવાય કે જે સ્વામિના પગલે પગલે ચાલે, સ્વામિના આદર્શને આંખ સામે રાખે, સ્વામિની વિચારસરણીને અનુસરે, સ્વામીનું ગૌરવ વધારે, સ્વામીના ધર્મની શોભા વધારે. સેવક મુખે સ્વામીના જ ગુણગાન હોય, વાતવાતમાં સ્વામીનું જ ઊંચું બતાવે, સ્વામી આગળ પિતાની જાત હલકી લાગે. . પ્ર. ૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001219
Book TitleShodashak Pravachano
Original Sutra AuthorN/A
AuthorDharmguptavijay
PublisherPremsurishwarji Jain Sahitya Prakashan Trust Ahmedabad
Publication Year
Total Pages144
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy