SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ : ષોડશક પ્રવચને નમસ્કારથી નમસ્કરણીયમાં રહેલા ગરિષ્ઠ ગુણસમુદાયનુ નમસ્કર્તા તરફ ગજબનું આકર્ષણ થાય છે. લેહચુંબક જેમ લેાઢાને પેાતાની તરફ ખેચે તેમ નમસ્કાર નમસ્કરણીયમાં રહેલો ગુણસમૂહને પોતાના તરફ ખેંચે છે. નમસ્કારથી ગુણાધિક પ્રત્યે પ્રમેદભાવ બતાવાય છે. નમસ્કરણીયમાં રહેલા ગુણ્ણાનુ અનુમેાદન થાય છે. નમસ્કરણીય જેવા અનવાનું મન થાય છે. નમકરણીયની કૃપાનું ભાજન અનાય છે. નમસ્કાર ખૂબ જ હૃદયમાં ગૌરવના અને કૃતજ્ઞતાના ભાવ રાખીને ગુણુના બહુમાનથી એકાગ્રચિત્ત થવા જોઈએ. નમસ્કાર કરતી વખતે આપણા મન વચન કાયા નમકરણીયમાં એકાકાર બની જવા જોઈ એ. આવા અનંતગુણમય જિન અને જિનનમસ્કાર મળ્યે તે ખદલના હૃદયમાં અહેાભાવ જોઈ એ. જાત ત્યાં ધન્યતા અનુભવતી જોઈએ. જાણે આ જિનનમસ્કાર મળ્યા એટલે જાણે બધુજ મળી ગયું એમ જીવને લાગવુ જોઈ એ. હવે મારી દીનતા, દરિદ્રતા, રાગ, શાક, દુઃખ, દદોઁ, દોષી બધું જ ગયું. એમ હૃદયમાં સચેાટ ભાસવુ જોઈએ. સાચા ભાવનમસ્કાર આવે એટલે વિષય કષાય બિચારા ગભરાઈને ભાગવા માંડે. ભેાગની ભૂંડી ભૂખ પણ ભાગવા લાગે, ગુણની દરિદ્રતા પણ વિદાય લેવા માંડે, દોષાન પક્ષપાત જાય અને ગુણુાના પક્ષપાત આવવા માંડે. પછી તા જીવ શુષુના પ્રેમી બની જાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001219
Book TitleShodashak Pravachano
Original Sutra AuthorN/A
AuthorDharmguptavijay
PublisherPremsurishwarji Jain Sahitya Prakashan Trust Ahmedabad
Publication Year
Total Pages144
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy