SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ પેશક પ્રવચને ૯૯ પણુ દોષ વગરનું સામાયિક કરવું એ નિર્મળ મનોરથ કર્યો ખરો ? સામાયિક લઈને બેઠા પછી મને દેપ, પાપ, કપાય અડી ન જાય તેની કાળજી રાખે છે ખરા? સંસારની મેહમાયા ભૂલીને કેટલાં સામાયિક ક્યાં ? સંસારને સાથે રાખીને સાચું સામાયિક નહિ થાય, બે ઘડીના સામાયિકમાં તે સંસાર ભૂલતાં શીખે. પાપના દાવાનળમાં સળગતા આત્મા જ્ઞાનધ્યાનની શીતળતા મેળવવા માંડ માંડ સામાયિકમાં બેડે, ત્યાં પણ પાપથી સળગવાનું? સામાયિક એટલે પાપરૂપી ગુંડાઓને ભગાડવા માટેની મશીનગન છે. આ મશીનગનને ઉપયોગ કરતાં ન આવડે તે પાપરૂપી ગુંડાઓ સામાયિકમાં પણ તમને બતાવવાના. | સર્વ કથિત એક સામાયિકની કિંમત સમજે છે ખરા ? અનંત ઉપકારી શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ શ્રેણીકની , નરક મીટાવવા મગધના માલિક શ્રેણીકરાજાને પૂણીયા શ્રાવકના એક સામાયિકનું ફળ લઈ આવવા કહેલું. છેવકરાજા સ્વયં ચાલીને પુણીયાને ઘેર જાય છે અને એક સામાયિકનું ફળ આપવાની માગણી કરે છે. અને જે પુણી શ્રાવક શ્રેણીકરાજાને એક સામાયિકનું ફળ આપે તે તેના બદલામાં મગધનું રાજ્ય શ્રેણીક આપે છે. છતાં તે પણ શ્રાવક મગધના રાજ્યની લાલચને વશ ન થતાં સામાયિકનું ફળ આપવાને સ્પષ્ટ ઇન્કાર કરે છે. બેલે પુણીયા શ્રાવકને મન એક સામાયિકનું કેટલું બધું મહત્વ હશે કે તેની ખાતર મેટા મગધના સામ્રાજ્યને પણ લાત મારી દીધી ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001219
Book TitleShodashak Pravachano
Original Sutra AuthorN/A
AuthorDharmguptavijay
PublisherPremsurishwarji Jain Sahitya Prakashan Trust Ahmedabad
Publication Year
Total Pages144
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy