SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ : ૮૨ : નિહ્નવવાદ : શકાય તેટલા માણસે આવ્યા હતા. મુખ્ય મુખ્ય માણસ આવી ગયા બાદ આર્ય અશ્વમિત્રને તેમનું વૃત્તાન્ત જણાવવા વિજ્ઞપ્તિ કરી, એટલે અશ્વામિત્રે કથન શરુ કર્યું. આજથી પન્દર દિવસ પૂર્વેની વાત છે. અમે પૂ. ગુરુમહારાજશ્રી પાસે દશમા પૂર્વનું અધ્યયન કરતા હતા તેમાં એક એવો પાઠ આવ્યો કે પૂ. ગુરુમહારાજશ્રીએ તે પાઠનો અર્થ જે રીતે મને સમજાવ્યો તે મને ન રુએ. મને જે પ્રમાણે એ અર્થ સમજતો હતો તે મેં તેઓશ્રીને કહ્યો. તેઓશ્રીએ મને હું અર્થ કરું છું તે મિથ્યા છે એમ કહી ફરી સમજાવ્યું, મેં ફરી મારું કથન સ્પષ્ટ કર્યું. ઘણા સમય સુધી એ વિષય પર વિચારણા ચાલી. છેવટ કંઈ પણ નિર્ણય થયે નહિં. આખર પૂગુરુમહારાજશ્રીએ મને કહ્યું કે “બે ત્રણ દિવસ સુધી આ વિષયનું મનન કર, અને પછી જે નિર્ણય થાય તે કહેજે.” મેં ત્રણ દિવસ સુધી ખૂબ ચિન્તન કર્યું પણ મારા વિચારમાં પરિવર્તન કરવા જેવું ન જણાયું. એક દિવસ સાયંકાળે અગાસીમાં છાપરાની નીચે બેસી આકાશ તરફ દૃષ્ટિ કરી હું આ વિષયની વિચારણા કરતો હતો, તેવામાં પૂ. ગુરુમહારાજશ્રીએ આવી મને કહ્યું “અશ્વ ! તને નથી સમજાતું કે એકાન્ત ક્ષણિકવાદ મિથ્યાવાદ છે? સર્વજ્ઞભાષિત આગમની એ મિથ્યાવાદના સમર્થનમાં સમ્મતિ કેમ હોઈ શકે ?” “ગુરુજી! એકાન્ત ક્ષણિકવાદ મિથ્યા છે પણ ક્ષણિકવાદ તો મિથ્યા નથી? વસ્તુની સ્થિરતા કેઈરીતે સ્થિર થઈ શકતી નથી, ને ક્ષણિકવાદની પુષ્ટિમાં આગમ ને દલીલ બને મળે છે, એટલે ક્ષણિકવાદ જ માનવો જોઈએ એમ મારું મતવ્ય છે. આપ ક્ષણિકવાદની સાથે વસ્તુને સ્થિર માનવા કહે છે તે કેમ બને ?” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001215
Book TitleNihnavavada
Original Sutra AuthorN/A
AuthorDharmdhurandharsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasarni Pedhi Mumbai
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy