SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્થ નિકૂવ આર્ય અWમિત્ર: ૭૯ : કામ કરવા ટેવાયેલા છે. એટલે સમજૂતી સિવાય કંઈપણ કડક કે દબાણના ઉપાયો તેઓ ન યોજી શકે. સખત પ્રયત્ન સિવાય અલ્પમિત્ર સમજે એમ નથી લાગતું. સમજાવવા માત્રથી સમજી જાય એમ હોત તે અહિં તે માટે ઓછું કર્યું હતું ? તેને ઠેકાણે લાવવા માટે તો કે ઈ રાજદ્વારી પદ્ધતિનું કામ છે. કુશલપુરના પ્રયત્નથી પતી જાય તો વધારે સારું નહિં તો રાજગૃહીના ખંડરક્ષક, કેટવાલ આદિ શ્રાવકે છે. તેઓ ધર્મના જાણકાર છે ને સામ-દામ-દંડ-ભેદ એમ ચારે નીતિને પ્રયોગ અજમાવવામાં કુશલ છે. અશ્વમિત્ર ત્યાં રાજગૃહ જ જનાર છે, તે તેમને ખબર પહોંચાડવા જોઈએ. તેઓ પ્રભુના પવિત્ર આગમ પ્રત્યે સંપૂર્ણ રાગવાળા અને પ્રભુએ પ્રરૂપેલ દરેક પદાર્થ માટે અવિચલ શ્રદ્ધાવાળા છે. કેવળ રાગ અને શ્રદ્ધા છે એટલું જ નહિ પણ બહુશ્રુત છે. તેમને ખબર પડશે એટલે તેઓ અશ્વમિત્રને વ્યવસ્થિત રીતે માર્ગમાં લાવી શકશે.” એ રીતે આર્ય મહાગિરિજી મહારાજે નગરશેઠને અન્ય ઉપાય પણ સૂચવ્યું. નગરશેઠે કહ્યું “ રાજગૃહીથી એક મુખ્ય શ્રાવક પાંચ સાત દિવસમાં અહીં આવવાના છે. તેઓ સમજુ અને સર્વ વાત પચાવી શકે તેમ છે. હું તેમને સર્વ સમજ પાડીશ. પછી આપશ્રી પાસે લઈ આવીશ. કદાચ કોઈ કારણસર તેઓ અહિં નહિ આવી શકે તો હું રાજગૃહી જઈ આવીશ ને સર્વ યેજના ખંડરક્ષક-શ્રાવકોને સમજાવતો આવીશ. આપશ્રી ફરમાવે છે તે પ્રમાણે અમિત્ર મહારાજ માટે કંઈક કડક ઉપાયની આવશ્યકતા છે ખરી ! સારું સાહેબ ! હવે હું જઉં છું. આપની ગસાધના અવિચલ રહો ! " Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001215
Book TitleNihnavavada
Original Sutra AuthorN/A
AuthorDharmdhurandharsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasarni Pedhi Mumbai
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy