SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ : ૫૪ : નિહ્નવવાદ . વિશેષ ભયંકર છે એમ વિચારી વૃદ્ધ મુનિઓએ તેઓની સાથે સર્વ વ્યવહાર બંધ કર્યો ને તેઓને સમુદાયબહાર કર્યા. એ પ્રસંગે શ્રી રાજગૃહનગરમાં મોર્યવંશી રાજ બલભદ્ર રાજ્ય કરતો હતો. જેમ પુષ્પરાવર્તનો મેઘ વરસ્યા પછી હજાર વર્ષ સુધી જમીનમાં રસકસ કાયમ રહે છે ને નવાં નવાં ધાન્ય ઉત્પન્ન થયા કરે છે તેમ રાજગૃહમાં પણ પ્રભુ મહાવીરસ્વામીએ જે ઉપદેશ વરસાવ્યા હતા તેની અસર હજુ નષ્ટ થઈ ન હતી. જનતામાં ધાર્મિક જાગૃતિ હજુ જેવી ને તેવી જ હતી. રાજા બલાન પણ આપ્યું ત ધર્મમાં દઢ અને અચલ શ્રદ્ધાલું હતો. જ્યારે તેણે કપકર્ણ આ અપકવ મુનિઓનું વૃત્તાન્ત સાંભળ્યું ત્યારે તેને ખેદ થયે. ધાર્મિક આત્માઓને વ્યવસ્થામાં જરા પણ અસ્તવ્યસ્ત સ્થિતિ થાય તો તે આઘાત પહોંચાડે છે. પ્રસંગ મળે આ મુનિઓને મૂળ માર્ગે લાવવા તેણે વિચાર કર્યો ને ઉપાય પણ ચાજી રાખે. ( ૫ ) રાજા બલભદ્રના પ્રબલ પ્રયત્નથી મુનિઓની સુધરેલી સમજણ સ્થવિરોથી છૂટા પડેલા-સંઘાડા બહાર થયેલ મુનિઓ અનકમે વિહાર કરતાં રાજગૃહ નિકટ આવ્યા. રાજાને ખબર પડી કે તે જ મુનિઓ અહિં આવે છે, એટલે તેણે વિચારી રાખેલ ઉપાય અમલમાં મૂકવાનો નિર્ણય કર્યો. સિપાઈઓને તેણે કહ્યું કે “ અમુક સાધુઓ અહિ આવવાના છે. તેઓ આવે ત્યારે તે બધાને મારી પાસે પકડી લાવજે.” રાજાજ્ઞા પ્રમાણે મુનિઓ રાજગૃહમાં આવ્યા ત્યારે સિપાઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001215
Book TitleNihnavavada
Original Sutra AuthorN/A
AuthorDharmdhurandharsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasarni Pedhi Mumbai
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy