SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ : ૩૦ : નિહ્નવવાદ: છે. એટલે તે બન્ને નિત્યાનિત્ય છે. વિશ્વની વસ્તુ માત્ર એ પ્રમાણે નિત્યાનિત્ય રૂપ છે. એ જ શુદ્ધ દષ્ટિ છે, એ જ ચાદાદનું રહસ્ય છે. તારા વિચારમાંથી પર્યાયષ્ટિ દૂર થઈ છે, એટલે તેને વાસ્તવિક પરિસ્થિતિ સમજાતી નથી.” શ્રી ગૌતમસ્વામીજીએ અને પરમાત્માએ પિતે ઉપર પ્રમાણે સમજાવ્યા છતાં જમાલિ સત્ય સમજી શક્યા નહિં. મિથ્યાભિમાન-દુરાગ્રહથી અસત્ય વિચારણને વળગી રહ્યા. પ્રભુ પાસેથી ગયા પછી પણ પોતાના વિચારે જ સાચા છે, એમ કહેવા લાગ્યા. ખરેખર ઊંધે રસ્તે ચડી ગયા પછી સાચે રસ્તે આવવું એ દુર્લભ છે. જ્યારે અમ જણાયું કે જમાલિ જાણીજઈને સત્ય વસ્તુને મિથ્યા આગ્રહથી ઓળવે છે-છુપાવે છે. ત્યારે તેને નિહ્નવ તરીકે પ્રસિદ્ધ કર્યા. પ્રભુ શ્રી મહાવીર સ્વામીના શાસનમાં પ્રથમ નિહ્નવ જમાલિ છે, એ સર્વે સમજ્યા એટલે કે તેમના વચનને અનુસરતા નહિ. જમાલિ પિતાના મતને ફેલાવવા માટે પ્રભુ પાસેથી બીજે વિહાર કરી ગયા. મતને સ્થિર કરવા ઘણા પ્રયત્ન કરવા લાગ્યા. મિથ્યાત્વના આગ્રહથી ઘણું દુર્ભાવનાઓ વિચારી. અનેક આત્માઓને મિથ્યા માર્ગે દોર્યા, સન્માર્ગથી ભ્રષ્ટ કર્યા. સંયમ પર્યાયને લામ્બા કાળ સુધી પાળે. લોકને આવર્જિત કરવા માટે પોતાના મતમાં ખેંચવા માટે છઠ્ઠ, અઠ્ઠમ વગેરે ઘણી તપશ્ચર્યા કરી, તપસ્વી તરીકે પ્રસિદ્ધ થયાં. છેવટે અર્ધ માસની-પદર અહેરાત્રિના ઉપવાસની તપશ્ચર્યા કરી પોતાના આત્માને માનવદેહથી મુક્ત કર્યો. કાળ કરી સ્વર્ગે ગયા. કાળ કરવાના અતિમ સમયે પણ મિથ્યાત્વની આલોચના કરી નહિં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001215
Book TitleNihnavavada
Original Sutra AuthorN/A
AuthorDharmdhurandharsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasarni Pedhi Mumbai
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy