SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ શિવભૂતિ : : ૧૮૫ : ચતુર્દશીના તિમિરનેા લાભ લેવા ભૂત-પ્રેત-વ્યન્તરા પણ ચાલી નીકળ્યા હતા. દિવસે પણ ભયજનક એવા એક સ્મશાનમાં સંભળાતુ કે રાત્રિએ ત્યાં ભૂત ભમે છે, પિશાચા રાસ રમે છે ને માનવને ભરખી જાય છે. એ જ સ્મશાનના શૂન્ય માર્ગે એક કાળા માથાના માનવી એકલા ચાલી નીકળ્યા છે. તે પણ દિવસે નહિં, રાતે. તેની સાથે પશુનું માંસ ને દિરા છે. તેના કરમાં તીક્ષ્ણ ધારવાળી તરવાર છે. મગજમાં મત્તુની મસ્તી છે. ઘેનઘેરાં લાલચાળ તેના લાચન છે. કાળી ચૌદશની ભીષણ રાત તેને સ્મશાનમાં પસાર કરવાની છે. ભીતિ ને ભયના સામ્રાજ્યમાં રહીને તે બન્નેને ભગાડવાના છે. સ્મશાનમાં મધ્યરાત્રિએ, માતૃતર્પણુ કરવાના તેને આદેશ મળેલ છે. ભૂત-પ્રેતેાને બલિ આપી ખુશ કરવાને તેણે હુકમ ઉઠાવ્યા છે. સાંજ પડીને તે ચાલી નીકળ્યેા. તેની ચાલવાની ઢબ એવી હતી કે તેને જોતાં જ ભલાભલા ગભરાઇ જાય. અનુક્રમે ચાલતાં ચાલતાં માગ વટાવી તે નગરથી દૂર-સુદૂર જ્યાં ચકલું પણ ફરકતુ ન હતુ એવા સ્મશાનમાં આવી પહેાંચે. સ્મશાનની એક તરફ ખળખળ ખળખળ કરતી નદી વહી રહી હતી. તેના ઊછળતા પ્રવાહ આજુબાજુ વધેલા ઊંચા ઊંચા ભેખડા-નાની મેાટી ખીણા-સ્મશાનની ભયંકરતામાં વધારે કરતા હતા. બીજી ખાજુ ગાઢ જંગલ પથરાયેલ હતુ. તે સ્મશાનમાં આવી તેણે ચારે તરફ નજર ફેરવી. કેટલેક સ્થળે ચિતાએ હજુ શાન્ત થઈ ન હતી. તેમાંથી વખતેવખત ભડકા થતા ને શમી જતા. હાડકા-ખાપરી વગેરે ફુટવાના અવાજો વારવાર થતા હતા. ત્યાં તેણે એક સ્થળ પસંદ કર્યું. કુંડાળું કાઢીને તેની મધ્યમાં તે બેઠા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001215
Book TitleNihnavavada
Original Sutra AuthorN/A
AuthorDharmdhurandharsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasarni Pedhi Mumbai
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy