SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૫૦ : નિત્તવવાદ : “ના, ના, આ પ્રશ્નને અનુરૂપ કેઈને પણ “નો ” શબ્દના અર્થનો ભ્રમ ન રહે માટે આચાર્ય મહારાજશ્રીએ જુદા જુદા ૧૪૪ પ્રશ્ન કરી ૧૪૪ વસ્તુની માંગણી કરી. તેમાંથી અમુક વસ્તુઓ મળી, અમુક ખંડ મળ્યાં. ને જેના ખંડ થઈ શકે એવું ન હતું તે ન મળી. તેને બદલે તેની વિરોધી વસ્તુઓ મળી.” એ એક સે ચુમ્માલીસ વસ્તુના પ્રકને ક્યા છે? પ્રથમ તો તેઓશ્રીએ “ પૃથ્વી ઘો” એમ કહ્યું ત્યારે દેવે માટીનું ઢેકું આપ્યું.” “ માટીનું ઢેકું પૃથ્વી તરીકે કેમ આપ્યું ? તે કંઇ સપૂર્ણ પૃથ્વી નથી. તે તે પૃથ્વીને ખંડ છે. આખી પૃથ્વી તે આપી શકાય નહિ.” માટે જ સ્તો માટીના ઢેફામાં પૃથ્વીને ઉપચાર કર્યો. આપણું વ્યવહારમાં પણ એવા ઉપચારથી જ કામ ચાલે છે. જેમ કેઈ કહે “મેં બધી જમીન ખરીદી લીધી” તો શું દુનિયાની બધી જમીન તેણે થોડી ખરીદી છે? અમુક વિવક્ષિત જમીનને જ તે બધી જમીન કહે છે. બધા પરિડતો પધારી ગયા, સર્વે શિ તૈયાર છે. ત્યાં પણ બધા સર્વ વગેરે શબ્દો વિવક્ષિતને માટે જ વપરાય છે. તે પ્રમાણે માટીના ઢેફાને પૃથ્વી માની દેશમાં સર્વને ઉપચાર કર્યો.' “પછી શું માંગ્યું ?” * પછી “અપૃથ્વી માંગી ત્યારે પાણી આપ્યું. પછી “પૃથવી ” માંગી ત્યારે ઢેફા ભાંગી તેનો એક ટુકડો આયે. પછી “નો અપૃથ્વી” માંગી ત્યારે-“મારે જવું નથી એમ નથી.” મારે ખાવું નથી એમ નથી “મારામાં તાકાત નથી એમ નથી વગેરેમાં બે વખત નથી નથી એ પ્રમાણે નિષેધ કરેલ હોવાથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001215
Book TitleNihnavavada
Original Sutra AuthorN/A
AuthorDharmdhurandharsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasarni Pedhi Mumbai
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy