SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યકત્વ ષટ્રસ્થાન ચઉપઈ અધિષ્ઠાન જે ભવભ્રમતણું, તેહ જ બ્રહ્મ હું સાચું ગણું. તેહનઈં નહી કર્મનો લેપ, હુઈ તો ન ટલઇ કરતાં ખેપ | ૩૮ | ભવભ્રમ ક, પ્રપંચભ્રાંતિ, તેહનું અધિષ્ઠાન જે બ્રહ્મ તેહ જ હું સાચું ગણું છું. જિમ રજતભ્રમાધિષ્ઠાન શુક્તિ, અહિલ્યમાધિષ્ઠાન રજજુ સત્ય / બ્રહ્મ પ્રપંચનઈ સાદગ્ય નથી તો ભ્રમ કિમ હોઈ એ શંકા ન કરવી, જે માટઇં કોઈ ભ્રમ સાદૃશ્યચિરપણિ વિરહપણિ] હોઈ છઈ “નભો નીલમ્' ઈતિવત્ તે બ્રહ્મ પરમાર્થસત્યનઇં કર્મનો લેપ નથી ! જો ચેતનઇં કર્મનો લેપ હોઈ તો ઘણોઈ ઉદ્યમ કરતાં ટકઈ નહી / ૩૮ / ગતનો ભ્રમ જેમાં થાય છે તે બ્રહ્મ જ સત્ય છે, જેમ રજતનો ભ્રમ જેમાં થાય છે તે છીપ અને સર્પનો ભ્રમ જેમાં થાય છે તે દોરડું સત્ય છે. રજત ને છીપ કે સર્પ અને દોરડા વચ્ચે સાદૃશ્ય છે તેમ બ્રહ્મ અને જગત-પ્રપંચ વચ્ચે સાદૃશ્ય નથી તો ભ્રમ કેવી રીતે થાય એવી શંકા ન કરવી કેમકે કોઈ ભ્રમ સાદગ્ય વગર પણ થાય છે, જેમકે આકાશને કોઈ રંગ નથી, છતાં તે નીલ છે એવું બ્રાન્ત જ્ઞાન થાય છે. આ પરમ સત્ય બ્રહ્મને કર્મનો લેપ લાગતો નથી. જો ચેતનને કર્મનો લેપ લાગે તો ઘણો શ્રમ કરતાં પણ તે દૂર ન થાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001214
Book TitleSamyaktva Shatsthana Chaupai
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages228
LanguageGujarati, Apabhramsha
ClassificationBook_Gujarati & Philosophy
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy