SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યકત્વ ષટ્રસ્થાન ચઉપઈ ૧૭ એક સુખિયા એક દુખિયા હોઈ, પુણ્ય-પાપવિલસિત તે જોઈ કરમચેતનાનો એ ભાવ, ઉપલાદિક પરિ એ ન સ્વભાવ ૧૫ || સરિખઈ જ બાહ્ય કારણઈ એક સુખિયા નઈ એક દુખિયા જે હોઈ છઈ તે પુણ્ય-પાપનો વિલાસ જોયો. ઉક્ત ચ - જો તુલસાહણાણ ફલે વિસેસો, ણં સો વિણા હેઉં કજ્જdણઓ ગોયમ ! ઘડો વ હેઉ અ સે કમૅ II. (વિ. ભા૧૬ ૧૩) કોઈ કહસ્ય) – એક પાખાણ પૂજાઈં છઇં, એક રઝલઈ છઈ તિમ એ સ્વભાવશું હુરૂઈં. તેહનઈં કહિઈ ઉપલાદિકનઈં પૂજાનિંદાથી સુખદુઃખવેદન નથી, જીવનઇં તે છઠે, તો એ ભોગચેતના કરમચેતનાનો કરિઓ ભાવ છઇં, દૃષ્ટાન્વયવ્યતિરેકસ્વભાવશું નિરાકારિશું તો દંડાદિકનઈં ઘટાદિક પ્રતિ પણિ કારણતા કિમ કહિછે ? || ૧૫ || બાહ્ય સાધનસામગ્રી સરખી હોવા છતાં જુદાં પરિણામ જોવા મળે છે – એક સુખી અને બીજો દુઃખી – તો એનો હેતુ તો હોવો જ જોઈએ. એ હેતુ તે કર્મ છે. પુણ્યકર્મ ને પાપકર્મથી જ સુખદુઃખ આવે છે. કોઈ એમ કહે કે પથરાને તો કંઈ કર્મ હોતું નથી, છતાં એક પથરો પૂજાય છે ને બીજો રઝળે છે. એનું કારણ તો સ્વભાવ જ છે. તો એનો જવાબ એ છે કે પથરાને પૂજા કે નિંદાથી કંઈ સુખદુઃખ થતાં નથી, જીવને સુખદુઃખનો અનુભવ થાય છે તેથી એ ભોગચેતના એ કર્મચેતનાનું પરિણામ છે. કર્મને જો સુખદુઃખનાં કારણ રૂપે ન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001214
Book TitleSamyaktva Shatsthana Chaupai
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages228
LanguageGujarati, Apabhramsha
ClassificationBook_Gujarati & Philosophy
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy