SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ પ૭ ૫. ઇલેક્ટ્રોનીક ઘડીયાળ સામાયિક કાળે પહેરીશ નહીં કે અડકીશ નહિ. શરીર ઉપર ઘણો શણગાર કે ઘણા દાગીના પહેરીશ નહિ. ૭. સામાયિકમાં સમતાભાવ બરાબર રાખી સ્વાધ્યાય કરીશ અથવા સ્વાધ્યાય સાંભળીશ. પરંતુ નીચે મુજબના મનના-૧૦, વચનના-૧૦ અને કાયાના -૧૨ દોષો હું સેવીશ નહિ તથા પાંચ અતિચારો લગાડીશ નહિ.. મનના દશ દોષી : ૧. શત્રુને જોઇને તેના ઉપર દ્વેષ કરવો. ૨. અવિવેક ચિંતવવો. ૩. તત્ત્વનો વિચાર ન કરવો. ૪. મનમાં ઉદ્વેગ ધરવો. ૫. યશની ઇચ્છા કરવી. ૬. વિનય ન કરવો. ૭. ભય ચિંતવવો. ૮. વ્યાપાર ચિંતવવો. ૯ ફળની શંકા કરવી. ૧૦. નિયાણું કરવું. આ મનના ૧૦ દોષો જાણવા. વચનના દશ દોષો ઃ ૧. હલકાં વચનો બોલવાં, ૨. હુંકારા કરવા, ૩. પાપવાનાં કાર્યો કરવાનો આદેશ આપવો, ૪. લવારો કરવો, ૫. કજીયો કરવો, ૬. “કેમ છો ? મઝામાં છો ને” આ પ્રમાણે ક્ષેમકુશળ પૂછી આગતા-સ્વાગતા કરવી. ૭. ગાળ દેવી. ૮. બાળક રમાડવું, ૯. વિકથા કરવી, ૧૦. હાંસી કરવી. (મશ્કરી કરવી.) આ વચનના ૧૦ દોષી જાણવા. - કાયાના બાર દોષો : ૧. આસન વારંવાર ફેરવવું, ૨. ચોતરફ જોયા કરવું, ૩. સાવદ્ય (પાપવાળું) કાર્ય કરવું, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001211
Book TitleSamyaktva Mul Bar Vrat
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2002
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Vidhi, C000, & C015
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy