SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧ ભક્તિ ૧. ઘણું ઘણા પ્રકારથી મનન કરતાં અમારો દઢ નિશ્ચય છે કે, ભક્તિ એ સર્વોપરી માર્ગ છે. અને તે પુરુષના ચરણ સમીપ રહીને થાય ક્ષણ વારમાં મેક્ષ કરી દે તેવો પદાર્થ છે. (૨૨-૨૪) ૨. આત્મજ્ઞાન દુર્ગમ–પ્રાયે–દેખીને નિષ્કારણ કરુણશીલ એવા તે પુરુષોએ ભક્તિમાર્ગ પ્રકા છે, જે સર્વ અશરણને નિશ્ચળ શરણરૂપ છે, અને સુગમ છે. (૧૯૫૨) ૩. પ્રભુભક્તિમાં જેમ બને તેમ તત્પર રહેવું. મેક્ષને એ ધુરંધર માર્ગ મને લાગે છે. ગમે તો મનથી પણ સ્થિર થઈને બેસી, પ્રભુભક્તિ અવશ્ય કરવી ગ્ય છે. મનની સ્થિરતા થવાને મુખ્ય ઉપાય હમણાં તે પ્રભુભક્તિ સમજો. આગળ પણ તે અને તેવું જ છે. (૨૭) ૪. જ્ઞાનમાર્ગ દુરારાધ્ય છે; પરમાવગાઢ દશા પામ્યા પહેલાં તે માર્ગે પડવાનાં ઘણાં સ્થાનક છે. સંદેહ, વિકલ્પ, સ્વછંદતા, અતિપરિણમીપણું એ આદિ કારણે વારંવાર જીવને તે માર્ગે પડવાના હેતુઓ થાય છે; અથવા ઊર્વભૂમિકા પ્રાપ્ત થવા દેતાં નથી. ક્રિયામાર્ગે અસદ્ અભિમાન, વ્યવહાર, આગ્રહ, સિદ્ધિમોહ, પૂજાસત્કારાદિ યોગ અને દૈહિક ક્રિયામાં આમનિષ્ઠાદિ દેજો ૨૭૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001210
Book TitleRajchandra
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year2000
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, Literature, & Rajchandra
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy