SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ નિર્માનીપણું ૧. જગતમાં રૂડું દેખાડવા માટે મુમુક્ષુ કંઈ આચરે નહીં, પણ રૂડું હોય તે જ આચરે. (૧૯૪૧) ૨. લોકે માત્ર (આપણને) વિચારવાનું કે સમ્યફ દષ્ટિ સમજે, તેથી કલ્યાણ નથી, અથવા બાહ્ય વ્યવહારના ઘણા વિધિનિષેધના કતૃત્વના માહામ્યમાં કંઈ કલ્યાણ નથી. સ્તુતિ નિંદાના પ્રયત્નાર્થે આ દેહની પ્રવૃત્તિ, તે વિચારવાનને કર્તવ્ય નથી. (૧૯૫૨) ૩. કઈ સાધુ જેણે પ્રથમ આચાર્યપણે અજ્ઞાન અવસ્થાએ ઉપદેશ કર્યો હોય, અને પછી તેને જ્ઞાની પુરુષનો સમાગમ થતાં તે જ્ઞાની પુરુષ જે આજ્ઞા કરે છે, જે સ્થળે આચાર્યપણે ઉપદેશ કર્યો હોય, ત્યાં જઈ એક ખૂણે છેવાડે બેસી બધા લોકોને એમ કહે કે, “મેં અજ્ઞાનપણે ઉપદેશ આપ્યો છે, માટે તમે ભૂલ ખાશો નહીં. (તેના જવાબમાં) જે તે સાધુ એમ કહે, “મારાથી એમ થાય નહીં, એને બદલે આપ કહે તે પહાડ ઉપરથી પડતું મૂકું, અથવા બીજું ગમે તે કહે તે કરું; પણ ત્યાં તો મારાથી નહીં જવાય.” જ્ઞાની કહે છે, “કદાપિ તું લાખ વાર પર્વતથી પડે તે પણ કામનું નથી. અહીં તો તેમ કરશે તો જ મોક્ષ મળશે. તેમ કર્યા વિના મોક્ષ નથી.” વિચારવાની અને સરળ જીવ જેને તરત કલ્યાણયુક્ત થઈ જવું છે, તેને આવી વાતનો આગ્રહ હાય નહીં. (૧૯૫૨) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001210
Book TitleRajchandra
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year2000
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, Literature, & Rajchandra
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy