SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી રાજચન્દ્રનાં વિચારરત છે. છતાં સામાન્ય પરિચય કરવા માગીએ તે તેને મુખ્ય માર્ગો આ આ છે કે, [મન] જે દરેચ્છા કરે તેને ભૂલી જવી; તેમ કરવું નહિ. તે જ્યારે શબ્દસ્પર્શોદિ વિલાસ ઇચ્છે, ત્યારે આપવાં નહિ. ટૂંકામાં આપણે એથી દારાવું નહિ, પણ આપણે એને દારવું. તે પણ નેાક્ષમા માં. (૧૭) ૫. મનેાનિગ્રહનાં વિદ્મઃ (૧) આળસ (૨) અનિયમિત સઁધ (૩) વિશેષ આહાર (૪) ઉન્માદ પ્રકૃતિ (૫) માયાપ્રપંચ (૬) અનિયમિત કામ (૭) અકરણીય વિલાસ (૮) માન (૯) મર્યાદા ઉપર કામ (૧૦) આપવડાઈ (૧૧) તુચ્છ વસ્તુથી આનંદ (૧૨) રસગારવલુબ્ધતા (૧૩) અતિભાગ (૧૪) પારકું અનિષ્ટ ઇચ્છવું (૧૫) કારણ વિના રળવુ (૧૬) ઝાઝાનેા સ્નેહ (૧૭) અયેાગ્ય સ્થળે જવું (૧૮) એક ઉત્તમ નિયમ સાધ્ય ન કરવા. આ અષ્ટાદશ દે।ષ જ્યાં સુધી મનથી નિકટતા ધરાવે છે, ત્યાં સુધી તે મનુષ્ય પણ આત્મસાક કરવાના નથી. (૧૭) ૬. અલ્પ આહાર, અલ્પ વિહાર, અલ્પ નિદ્રા, નિયમિત વાચા, નિયમિત કાયા અને અનુકૂળ સ્થાન એ મનને વશ કરવાનાં ઉત્તમ સાધના છે. (૧૮–૧૯) ૭. વિષયાદિ ઇચ્છિત પદાર્થો ભાગવી તેથી નિવૃત્ત થવાની ઇચ્છા રાખવી અને તે ક્રમે પ્રવવાથી આગળ પર તે વિષયમૂર્છા ઉત્પન્ન થવી ન સંભવે, એમ થવું કઠ્ઠણ છે. કેમકે, જ્ઞાનદશા વિના વિષયનું નિળપણું થવુ સંભવતું નથી. જે જ્ઞાનદશા ન હેાય, તેા ઉત્સુક પરિણામ વિષય આરાધતાં ઉત્પન્ન થયા વિના ન રહે. જેને જ્ઞાનદશા છે, તેવા પુરુષા [પણ વિષયાકાંક્ષાથી અથવા વિષયના અનુભવ કરી તેથી વિરક્ત થવાની ઇચ્છાથી તેમાં પ્રવર્તતા નથી. અને એમ જો પ્રવતા જાય, તેા જ્ઞાનને પણ આવરણ આવવાયેાગ્ય છે. માત્ર પ્રારબ્ધ સબધી ઉદય હોય એટલે છૂટી ન શકાય તેથી જ જ્ઞાની પુરુષની ભાગ ૩૬૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001210
Book TitleRajchandra
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year2000
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, Literature, & Rajchandra
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy