SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી રાજચંદ્રની જીવનયાત્રા મનુષ્ય અંતર્મુખ કે બહિર્મુખ ગમે તેવો હોય, તેને વૈયક્તિક જીવન અને સામુદાયિક જીવનની સ્વસ્થતા વાતે સામાન્ય નીતિની જરૂર હોય જ છે. એવા વ્યાવહારિક નીતિના શિક્ષણ વાસ્ત પુષ્પમાળા” રચ્યા પછી શ્રીમને અંતર્મુખ અધિકારીઓ વાસ્ત કાંઈક વિશિષ્ટ લખવાની પ્રેરણા થઈ હોય એમ લાગે છે. એમાંથી એમણે આધ્યાત્મિક જિજ્ઞાસા સંતોષવા અને પોષવા ખાતર એક બીજી કૃતિ રચી. એનું નામ એમણે ઉદ્દેશ અને વિષયને અનુરૂપ એવું “મેક્ષમાળા'(૪) રાખ્યું. માળા એટલે ૧૦૮ મણકા પેઠે ૧૦૮ પાઠ સમજી જ લેવાના. એને બીજો ભાગ “પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા” એમણે લખવા ધારેલો જે લખાતાં રહી ગયો. છતાં સદ્ભાગ્યે એમાં એમણે લખવા ધારેલ વિષયોની યાદી કરેલી તે લભ્ય છે (૮૬૫). એ વિષયો ઉપર કઈ વિશિષ્ટ પ્રજ્ઞાશાલીએ લખવા જેવું છે, એ કહેવાની ભાગ્યે જ જરૂર રહે છે. - “મોક્ષમાળા'માં ચર્ચલા ધર્મને મુદ્દા ખાસ કરી જૈન ધર્મને જ લક્ષી લીધેલા છે. અને તે વખતે તેમનાં પ્રથમ પરિચિત સ્થાનક વાસી પરંપરા અને શાસ્ત્રોની તેમાં સ્પષ્ટ છાપ છે. છતાં એકંદર રીતે એ સર્વસાધારણ રીન સંપ્રદાય વાસ્તે અનુકુળ થઈ પડે એ રીતે જ મધ્યસ્થપણે લખાયેલ છે. “મેક્ષમાળા'ની અનેક વિશેષતાઓ એના વાચનથી જ જાણવી ગ્ય છે, છતાં અહીં તેની એક વિશેષતા નોંધવી એગ્ય છે. સોળ વરસ અને ત્રણ મહિના જેટલી નાની ઉંમરે, કેાઈ સ્કૂલ કે કોલેજમાં અગર તો સંસ્કૃત યા ધાર્મિક પાઠશાળામાં નહિ ભણેલ છોકરા રાયચંદની એ ત્રણ દિવસની રમત છે, અને છતાં ય આજે પ્રૌઢ અભ્યાસીને એમાં સુધારવા જેવું ભાગ્યે જ દેખાશે. હવે પાછળથી રમે વર્ષે રચાયેલ “આત્મસિદ્ધિશાસ્ત્ર અને (૬૬૦) સગવડ ખાતર પ્રથમ લઈએ. એમાં ૧૪ર દેહા છે. એનું વિવેચન એમણે પિતે જ કરેલું લભ્ય છે. ખરેખર આનું શાસ્ત્ર નામ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001210
Book TitleRajchandra
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year2000
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, Literature, & Rajchandra
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy