SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી રાજચંદ્રની જીવનયાત્રા વગર વિચાર્યે ધર્મને નામે ધાંધલ કરી મૂકનારા, અત્યારે તો શ્વસુરગૃહની પિકે પરદેશમાં વસતી સંતતિના જૈન પૂર્વજોએ ચારેક દશકા પહેલાં વિરચંદ ગાંધીના ધર્મ પરિષદ નિમિત્તે અમેરિકા પ્રવાસ વખતે જ્યારે ભારે ધાંધલ મચાવી, ત્યારે તે જ ધનમસ્ત વ્યાપારીએની વચ્ચે વ્યાપારી તરીકે રહેવા છતાં શ્રીમદે પરદેશગમનના નિષેધ પરત્વે જે વિચાર દર્શાવ્યો છે, તે વિચાર પ્રસિદ્ધ જૈનાચાર્ય આત્મારામજીની પેઠે કે વિવેકપૂર્ણ અને નિર્ભય છે? એ જૈન સમાજની પ્રકૃતિને ઘાતક હોઈ તેમના જ શબ્દોમાં વાંચવા જેવો છે. તેઓ લખે છે: “ધર્મમાં લૌકિક મેટાઈ, માનમહત્ત્વની ઈચ્છા, એ ધર્મના દ્રોહરૂપ છે. - “ધર્મના બહાને અનાર્ય દેશમાં જવાનો કે સુત્રાદિ મોકલવાને નિષેધ કરનાર, નગારું વગાડી નિષેધ કરનાર, પોતાને માન–મહત્ત્વમેટાઈને સવાલ આવે ત્યાં એ જ ધર્મને ઠેકર મારી, એ જ ધર્મ પર પગ મૂકી, એ જ નિષેધનો નિષેધ કરે, એ ધર્મદ્રોહ જ છે. ધર્મનું મહત્ત્વ તે બહાનારૂપ અને સ્વાર્થિક માનાદિને સવાલ મુખ્યએ ધર્મદ્રોહ જ છે. વીરચંદ ગાંધીને વિલાયતાદિ સેલવા આદિમાં આમ થયું છે.” “ધર્મ જ મુખ્ય એ રંગ ત્યારે અહોભાગ્ય.” (૭૦૬). શ્રીમના પરિચિત મિત્રો, સંબંધીઓ અને કદાચ આશ્રયદાતાઓ પણ કેટલાક કટ્ટર મૂર્તિવિધી સ્થાનકવાસી હતા. તે પોતે પણ પ્રથમ એ જ મતના હતા. પણ જ્યારે તેમને પ્રતિમા વિષે સત્ય સમજાયું ત્યારે કોઈની પરવા કર્યા સિવાય પ્રતિમાસિદ્ધિ વાતે તેમણે ૨૦મે વર્ષે જે લખ્યું છે, તે તેમની વિચારગંભીરતાનું દ્યોતક છે. જિજ્ઞાસુ એ (૨) મૂળ લખાણ જ વાંચી પરીક્ષા કરે. એ જ રીતે, માત્ર જૈનપરંપરાના અભ્યાસીએ શ્રીમદ્દનું વિચારકપણું જેવા ૧૮૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001210
Book TitleRajchandra
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year2000
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, Literature, & Rajchandra
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy