SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી રાજચંદ્રની જીવનયાત્રા પ્રત્યે આદરવાન બને છે. કોઈ પણ તકે રસિકે એ આખો સંવાદ એમના જ શબ્દોમાં વાંચ ઘટે છે. આગળ ચાલતાં જગત્કર્તાની ચર્ચા વખતે તેઓએ જે વિદક છટાથી તે ઉંમરે જગત્કર્તાપણાનું ખંડન કરો, તર્કબળે સ્વપક્ષ મૂકયો છે (મોક્ષમાળા'–૯૭), તે ભલે કઈ તે વિષયના ગ્રંથના વાચનનું પરિણામ હોય, છતાં એ ખંડનમંડનમાં એમની સીધી તર્કપટુતા તરવરે છે. કાઈને પત્ર લખતાં તેમણે જૈન પરંપરાના કેવળજ્ઞાન શબ્દ સંબંધી રૂઢ અર્થ વિષે જે વિરોધદર્શક શંકાઓ શાસ્ત્રપાઠ સાથે ટાંકી છે (૫૯૮), તે સાચા તર્કપટુને સ્પર્શે એવી છે. જે વિષેની શંકામાત્રથી જૈન સમાજરૂપ ઇન્દ્રનું આસન કંપી, પરિણામે શંકાકાર સામે વજનિષના ટંકારે થાય છે, તે વિષે શ્રીમદ્ જેવો આગમનો અનન્યભકત નિર્ભયપણે શંકાઓ જિજ્ઞાસુને લખી મોકલે છે, તે તેમનું ૨૯મા વર્ષનું નિર્ભય અને પકવ તર્કબળ સૂચવે છે. ભારતવર્ષની અધોગતિ જૈનધર્મને આભારી છે એમ મહીપતરામ રૂપરામ બોલતા ને લખતા. બાવીસેક વર્ષની ઉંમરે શ્રીમદ્દ તેમની પાસે પહોંચ્યા. તેમણે મહીપતરામને સવાલો પૂછવા માંડ્યા. સરલચિત્ત મહીપતરામે સીધા જ જવાબ આપ્યા. આ જવાબના ક્રમમાં શ્રીમદે તેમને એવા પકડ્યા કે, છેવટે સત્યપ્રિય મહીપતરામે શ્રીમના તર્કબળને નમી સ્પષ્ટપણે સ્વીકારી લીધું કે, આ મુદ્દા વિષે મેં કાંઈ વિચાર્યું નથી. એ તો ઈસાઈ સ્કૂલોમાં જેમ સાંભળ્યું તેમ કહું છું, પણ તમારી વાત સાચી છે (૮૦૮). શ્રીમદ્દ અને મહીપતરામને આ વાર્તાલાપ મજિઝમનિકાયમાંના બુદ્ધ અને આશ્વલાયનના સંવાદની ઝાંખી કરાવે છે. સઅસત વિવેક-વિચારણબળ અને તુલના–સામ શ્રીમમાં ૧૮૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001210
Book TitleRajchandra
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year2000
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, Literature, & Rajchandra
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy