SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી રાજચંદ્રની જીવનયાત્રા તેમને વેદાંતના માયાવાદ કે સાંખ્ય–ચોગના અસંગ અને પ્રકૃતિવાદમાં જે ઊણપ દેખાઈ છે, તે ઊણપ તે રીતે તો ન જ દેખાત અને ન જ દર્શાવાત. શાસ્ત્રજ્ઞાન અને સાહિત્યાવલોકન શ્રીમને સ્વભાવ જ ચિંતન અને મનનશીલ હતા. એમનું એ ચિંતન પણ આત્મલક્ષી જ હતું. તેથી બાહ્યલક્ષી સાહિત્ય, જેવું કે વાર્તા, નવલકથા, નાટક, કાવ્ય, પ્રવાસવર્ણન આદિ તરફ તેમની રસવૃત્તિ સ્વાભાવિક રીતે જ રહેલી લાગતી નથી. એમણે એવું સાહિત્ય વાંચવામાં મનેયોગ આયે હોય કે સમય ગાળ્યો હોય એમ તેમનાં લખાણો જોતાં લાગતું નથી. છતાં તેમના હાથમાં છૂટું છવાયું એવું કાંઈ સાહિત્ય પડી ગયું હશે તે પણ એને ઉપયોગ એમણે તો પિતાની તત્ત્વચિંતક દૃષ્ટિએ જ કરેલો હોવો જોઈએ. એમની જિજ્ઞાસા અને નવું નવું જાણું તે પર વિચાર કરવાની સહજવૃત્તિ બેહદ હતી. એ વૃત્તિ અન્ય સાહિત્ય તરફ ન વળતાં માત્ર શાસ્ત્ર તરફ જ વળેલી લાગે છે. વિદુરનીતિ, વૈરાગ્યશતક, ભાગવત, પ્રવીણસાગર, પંચીકરણ, દાસબોધ, શિક્ષાપત્રી, પ્રબેધશતક, મોહમુગર, મણિરત્નમાલા, વિચારસાગર, વાગવાસિષ, ગીતા, બુદ્ધચરિત, આદિ તેમણે લખાણમાં નિર્દેશેલાં અને બીજાં કેટલાંક નામપૂર્વક નહિ નિર્દેશેલ છતાં તેમનાં લખાણના ભાવ ઉપરથી સ્પષ્ટ સૂચિત થતાં જૈનેતર શાસ્ત્રીય પુસ્તકે તેમણે એકાગ્રતા અને તીક્ષણ દૃષ્ટિથી વાંચ્યાં છે ખરાંપણ એકંદર તેમણે જૈન શાસ્ત્ર જ મોટા પ્રમાણમાં વાંચ્યાં છે. તેમાંના ઝીણા ઝીણું તાત્ત્વિક અને આચારવિષયક મુદ્દાઓ ઉપર તેમણે અનેક વાર ગંભીર વિચારણું કરી છે, એ વિષે એકથી વધારે વાર લખ્યું છે અને એમણે એ વિષે જ હાલતાં ને ચાલતાં ઉપદેશ આપ્યા છે. આ દષ્ટિએ એમનાં લખાણો વાંચતાં એવું વિધાન ફલિત થાય છે કે, જે ૧૭૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001210
Book TitleRajchandra
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year2000
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, Literature, & Rajchandra
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy