SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી રાજચંદ્રની જીવનયાત્રા નહિ. આમાંથી રાજપ્રકરણું, આર્થિક ઇત્યાદિ પરિણામે ભારે સુંદર આવવાનાં તે તો છે જ, પણ સૌથી સુંદર પરિણામ તો એ આવશે કે આ પ્રવૃત્તિથી ઘણા ઉગરી જશે; ઘણું મેક્ષને લાયક થઈ જશે. જે વરસને અંતે એવો અનુભવ ન થાય તો મને જીવવું વિષમ થઈ પડે. તેઓ ઘણું વાર કહેતા કે એપાસથી કઈ બરછીઓ ભાંક તે સહી શકું, પણ જગતમાં જે જૂઠ, પાખંડ, અત્યાચાર ચાલી રહ્યાં છે, ધર્મને નામે જે અધર્મ વર્તી રહ્યો છે, તેની બરછી સહન થઈ શકતી નથી. અત્યાચારોથી ઉકળી રહેલા તેમને શિકળી જતા મેં ઘણી વાર જોયા છે. તેમને આખું જગત પોતાના સગા જેવું હતું. આપણું ભાઈ કે બહેનને મરતાં જોઈને જે કલેશ આપણને થાય છે, તેટલે કલેશ તેમને જગતમાં દુઃખને, મરણને જોઈને થતા. કાઈ કહે, તેઓ તેમના પાપે દુ:ખ પામતા હોય. પણ તેમને પાપ કરવું શું કામ પડયું ? જ્યારે પુણ્યને સરળ માર્ગ મળતો નથી, પણ મોટી ખીણ ને પર્વત ઓળંગવાં પડે છે ત્યારે આપણે તેને કળિકાળ કહીએ છીએ. તે વખતે જગતમાં પુણ્ય બહુ જોવામાં આવતું નથી. ઠેકાણે ઠેકાણે પાપ દેખાય છે. પાપ પુણ્યને નામે ચાલ્યા કરે છે. તેવી સ્થિતિમાં દયાધર્મનું પાલન કરવા ઈચ્છીએ તે આપણો આત્મા કલેશથી ઊભરાઈ જવો જોઈએ. એમ લાગવું જોઈએ કે આવી સ્થિતિમાં જીવવું તે કરતાં દેહ જર્જરિત થઈ જાય, પડી જાય તે વધારે સારું. રાયચંદભાઈને દેહ એટલી નાની ઉંમરે પડી ગયો તેનું કારણ મને એ જ લાગે છે. તેમને દરદ હતું એ ખરું, પણ જગતના તાપનું જે દરદ તેમને હતું તે અસહ્ય હતું. પેલું શારીરિક દરદ તો જે એકલું હોત તો જરૂર તેઓ તેને જીતી શક્યા હોત. પણ તેમને થયું કે આવા વિષમ કાળમાં આમદર્શન કેમ થઈ શકે? દયાધર્મની એ નિશાની છે. ૧૧૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001210
Book TitleRajchandra
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year2000
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, Literature, & Rajchandra
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy