SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ © • અર્થ સંસ્કૃત, પ્રાકૃત કે જૂની ગુજરાતીના ગમે તે ભાષાના લેખો તેઓ ઉકેલી શકે છે અને વિવિધ લિપિઓનો તેમને બોધ છે. ખારવેલનો શિલાલેખ બેસાડવામાં પ્રો. જયસ્વાલે પણ તેમની સલાહ અનેકવાર લીધી છે. તેમને શિલ્પ અને સ્થાપત્યની ઘણી માહિતી છે. પર્યટન કરીને પશ્ચિમ હિંદની ભૂગોળનું તેમણે એવું સારું નિરીક્ષણ કર્યું છે કે જાણે જમીન તેમને જવાબ દેતી હોય તેમ તેઓ ઇતિહાસના બનાવો તેમાંથી ઉકેલી શકે છે. પુરાતત્ત્વમાં પણ તેમણે એક પ્રાચીન ગુજરાતી ભાષાનો “ગદ્યસંદર્ભ સંપાદિત કર્યો છે. કોઈપણ ચાલુ ભાષાના એના જેટલા જૂના ગ્રંથો હિંદના વિરલ જ છે. ઉપરાંત ગુજરાતના ઇતિહાસનાં સાધનોના ગ્રંથો બહાર પાડવા માંડ્યા છે, જે કામ તેઓ જર્મની જઈ આવ્યા પછી વધારે વેગથી આગળ ચલાવશે. તેમણે ચલાવેલ જૈન સાહિત્ય સંશોધક નામના સૈમાસિક પત્રનું બીજું વર્ષ પૂરું થવા આવે છે. જૈન સમાજના કોઈપણ ફિરકામાં એ કોટિનું પત્ર અદ્યાપિ નીકળ્યું નથી. એ પત્ર જૈન સાહિત્યપ્રધાન હોવા છતાં તેની પ્રતિષ્ઠા જૈનેતર વિદ્વાનોમાં પણ ઘણી છે. તેનું કારણ તેમની તટસ્થતા અને ઐતિહાસિક નિષ્ણાતતા છે. જૈન સમાજના લોકો તેમને જાણે છે તે કરતાં જૈનેતર વિદ્વાનો તેમને વધારે પ્રમાણમાં અને માર્મિક રીતે પિછાને છે. જોકે જૈન સમાજ તદન રૂઢ જેવો હોવાથી બીજા બધા લોકો જાગ્યા પછી જ પાછળથી જાગે છે, છતાં સંતોષની વાત છે એ કે મોડાં મોડાં પણ તેનામાં વિદ્યાવૃત્તિનાં સુચિલો નજરે પડવા લાગ્યાં છે. એક તરફથી, અંગ્રેજી ભાષા અને પાશ્ચાત્ય વસ્તુમાત્રનો બહિષ્કાર કરવા તત્પર એવો સંકીર્ણ વર્ગ, જે મુંબઈમાં રહે છે તે જ મુંબઈમાં, બીજો વિદ્યારુચિ અને સમયસૂચક જૈન વિદ્વાન વર્ગ પણ વસે છે. વિદાયગીરીના મિત્રોએ કરેલા છેલ્લા નાનકડા મેળાવડા પ્રસંગે મેં જે દય અનુભવ્યું તે જૈન સમાજની ક્રાન્તિનું સૂચક હતું. જે લોકો આચાર્ય જિનવિજયજીને આજ સુધી બળવાખોર માની તેમનાથી દૂર ભાગતા અગર તો પાસે જવામાં પાપનો ભય રાખતા તેવા લોકો પણ તેમની વિદાયગીરીના મેળાવડા પ્રસંગે ઉપસ્થિત થઈ સાક્ષી પૂરતા હતા કે હવે જૂનું કાશમીરા અને જૂની કાશી એ વિદેશમાં વસે છે. આચાર્ય હરિભદ્ર બૌદ્ધ મઠમાં શિષ્યોને ભણવા મોકલેલા. આચાર્ય હેમચન્દ્ર કાશ્મીરની શારદાની ઉપાસના કરેલી. ઉપાધ્યાય યશોવિજયજીએ કાશીમાં ગંગાતટને સેવેલું. હવે પરિસ્થિતિ પ્રમાણે જો જૈન સાહિત્ય અને જૈન સંસ્કૃતિએ માનપૂર્વક સ્થાન મેળવવું હોય તો દેશનાં પ્રસિદ્ધ સ્થળો ઉપરાંત વિદેશમાં પણ જ્યાંથી મળે ત્યાંથી દરેક ઉપાયે વિદ્યા મેળવવી અને હરિભદ્ર, હેમચન્દ્ર કે યશોવિજયજીની પેઠે નવીન પરિસ્થિતિ પ્રમાણે નવી વિદ્યાઓ દેશમાં આણવી. આ વસ્તુ તદ્દન રૂઢ ગણાતા જૈન સાધુ વર્ગમાં પણ કેટલાકને સમજાઈ ગઈ હોય એમ લાગે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001207
Book TitleArdhya
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy