SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ આચાર્ય જિનવિજયજી ૦ ૮૯ પુરાતત્ત્વ મંદિરનો મહત્ત્વનો પુસ્તકસંગ્રહ મુખ્યપણે તેમની પસંદગીનું પરિણામ છે. અહીં આવ્યા પછી પણ તેમનું વાચન અને અવલોકન સતત ચાલુ જ રહ્યું. અનેક દિશાઓમાં તેમની કાર્ય કરવાની વૃત્તિ તેમના પરિચતો જ જાણે છે. તેમનો પ્રિય વિષય પ્રાચીન ગુજરાતનો ઇતિહાસ અને ભાષા એ છે. તેને અંગે તેમણે જે જે ગ્રંથો છપાવવા શરૂ કર્યા તેમાં તેમને જર્મન ભાષાના જ્ઞાનની ઊણપ બહુ જ સાલવા લાગી અને સંયોગ મળતાં એ જ વૃત્તિએ તેમને જર્મની જવા પ્રોત્સાહિત કર્યા. તેમના ઉત્સાહને તેમના આત્મજ્ઞ વિદ્યાપ્રિય મિત્રોએ વધાવી લીધો. એક બાજુ મિત્રો તરફથી પ્રોત્સાહન મળ્યું અને બીજી બાજુ ખુદ મહાત્માજીએ એમની વિદેશગમનની વૃત્તિને સપ્રેમ સીંચી. દરમિયાન જર્મન વિદ્વાનો અહીં આવી ગયા. તેમની સાથે નિકટ પરિચય થઈ ગયો. બીજી બાજુ તેમની ઐતિહાસિક ગવેષણાથી સંતુષ્ટ થયેલ પ્રો. યાકોબીએ તેમને પત્ર દ્વારા જર્મની આવવા આકર્ષા અને લખ્યું કે તમે જલદી આવો. તમારી સાથે મળી હું અપભ્રંશ ભાષામાં અમુક કામ કરવા ઈચ્છું છું. આ રીતે આંતરીક જિજ્ઞાસા અને સાહસની ભૂમિકા ઉપર બહારનું અનુકૂળ વાતાવરણ રચાયું અને પરિણામે જૈન સાધુવેષનાં રહ્યાંસહ્યાં ચિહ્નોનું વિસર્જન કરી તેમણે અભ્યાસ માટે યુરોપયોગ્ય નવીન દીક્ષા લીધી. વાચક જોઈ શકશે કે આ બધાં પરિવર્તનોની પાછળ તેમનો ધ્રુવ સિદ્ધાંત વિદ્યાભ્યાસ એ જ રહ્યો છે. જેને તત્ત્વજ્ઞાનમાં કહ્યું છે, કે પ્રત્યેક વસ્તુમાં ધૃવત્વ સાથે ઉત્પાદ અને નાશ સંકળાયેલ છે. આપણે આ સિદ્ધાંત આચાર્ય જિનવિજયજીના જીવનને અંગે બરોબર લાગુ પડેલો જોઈ શકીએ છીએ. છેક નાની ઉંમરથી અત્યાર સુધીમાં તેમનાં ક્રાંતિકારી અનેક પરિવર્તનોમાં તેમનો મુખ્ય પ્રવર્તક હેતુ એક જ રહ્યો છે, અને તે પોતાના પ્રિય વિષયના અભ્યાસનો. એ તો કોઈપણ સમજી શકે તેમ છે કે જો તેઓ એક ને એક સ્થિતિમાં રહ્યા હોત તો જે રીતે તેમનું માનસ વ્યાપકપણે ઘડાયેલું છે તે કદી ન ઘડાત અને અભ્યાસની ઘણી બારીઓ બંધ રહી જાત, અથવા સહજ વિકાસગામી સંસ્કારો ગૂંગળાઈ જાત. આજકાલની સામાન્ય માન્યતા છે કે ઉચ્ચ અભ્યાસ તો યુનિવર્સિટીની કોલેજોમાં અને તે પણ અંગ્રેજી પ્રોફેસરોનાં ભાષણો સાંભળીને જ થઈ શકે, અને ઐતિહાસિક ગવેષણા તો આપણે પશ્ચિમ પાસેથી શીખીએ તો જ શિખાય. આચાર્ય જિનવિજયજી કોઈપણ નિશાળે પાટી પર ધૂળ નાખ્યા વગર હિંદી, મારવાડી, ગુજરાતી, દક્ષિણી ભાષાઓમાં લખી-વાંચી-બોલી શકે છે. અને બંગાળી પણ તેમને પરિચિત છે. આટલી નાની વયમાં તેમણે વીસેક ગ્રંથો સંપાદિત કર્યા છે. પ્રાચ્યવિદ્યાપરિષદમાં હરિભદ્રસૂરિનો સમયનિર્ણય ઉપર એમણે એક લેખ વાંચ્યો જેથી પ્રખર વિદ્વાન યાકોબીને પણ પોતાનો અભિપ્રાય આયુષ્યમાં પહેલી જ વાર બદલાવવો પડ્યો છે. જૂના દસ્તાવેજો, શિલાલેખો, Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.001207
Book TitleArdhya
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy