SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ આચાર્ય જિનવિજયજી • ૮૭ એમણે મુખ્યપણે સ્વાશ્રિત વાચન અને સ્વાશ્રિત અભ્યાસથી જ જાણ્યું છે. જેની દૃષ્ટિ તીક્ષ્ણ હોય અને પ્રતિભા જાગરૂક હોય એ ગમે તેવાં પણ સાધનોનો સરસ ઉપયોગ કરી લે છે. એ ન્યાયે તેઓ ભાવનગર, લીમડી, પાટણ આદિ જે જે જૈન સ્થળોમાં ગયા અને રહ્યા ત્યાંથી તેમણે અભ્યાસનો ખોરાક ખૂબ મેળવી લીધો. પરંતુ જૂની શોધખોળોને અંગે જ્યારે તેઓ આધુનિક વિદ્વાનોનાં લખાણો વાંચતા ત્યારે વળી તેમની જિજ્ઞાસા ભભૂકી ઊઠતી અને જૈન સાધુજીવનનું રૂઢિબંધન ખટકતું. તેઓ ઘણીવાર મને પત્રમાં લખતા કે તમે ભાગ્યશાળી છો. તમારી પાસે રેલવેની લબ્ધિ છે, ગમે ત્યાં જઈ શકો છો અને ગમે તે રીતે અભ્યાસ કરી શકો છો. એ લખાણ શોખીન મનોવૃત્તિનું નહિ પણ અભ્યાસપરાયણ જીવનનું પ્રતિબિંબ છે, એમ મને તો તે વખતે જ લાગેલું, પણ આજે એ સૌને પ્રત્યક્ષ છે. પાટણના લગભગ બધા ભંડારો, જૂનાં કલામય મંદિરો, અને બીજી જૈન સંસ્કૃતિની અનેક પ્રાચીન વસ્તુઓના અવલોકને એમની જન્મસિદ્ધ ગવેષણાવૃત્તિને ઉત્તેજી અને ઊંડો અભ્યાસ કરવા તેમજ લખવા પ્રેર્યા. મહેસાણા અને પાટણ પછી ત્રીજું ચોમાસું મેં વડોદરામાં તેમની સાથે ગાળેલું. હું જોતો હતો કે સેન્ટ્રલ લાઇબ્રેરીનાં પુસ્તકોનાં પુસ્તકો અને જૈન ભંડારની પોથીઓની પોથીઓ ઉપાશ્રયમાં તેમની પાસે ખડકાયેલી રહેતી. અને જો કોઈ જાતે જઈને ન બોલાવે તો તેઓ મકાનમાં છે કે નહિ તેની ખબર માત્ર લેખણના અવાજથી પડતી. સદ્ગત ચિમનલાલ એ એમના જેવા જ વિદ્યાવ્યસની અને શોધક હતા. ચિમનલાલ અંગ્રેજીના વિદ્વાન એટલે તેમનો માર્ગ વધારે ખૂલ્યો. શ્રી જિનવિજયજી અંગ્રેજી ન જાણે એટલે તે એ બાબતમાં પરાધીન, છતાં જિજ્ઞાસા માણસને સૂવા દઈ શકતી નથી. તેથી ધીરે ધીરે તેઓ અંગ્રેજી તરફ ઢળ્યા. દરમ્યાન પોતાના વિષયનું અંગ્રેજી ભાષામાં કે જર્મન ભાષામાં પુસ્તક લખાયું હોય તો તેને મેળવી ગમે તે રીતે તેનો અનુવાદ કરાવી મતલબ સમજી તેનો ઉપયોગ કરતા; પણ આ રીતે એક અભ્યાસનિષ્ઠ માણસ લાંબા વખત સુધી સંતુષ્ટ રહી શકે નહિ. હું જાણું છું ત્યાં સુધીમાં કૃપારસકોશ, વિજ્ઞપ્તિત્રિવેણી, શત્રુંજય તીર્થોદ્ધાર પ્રબંધ, વગેરે પુસ્તકો લખવાનો પાયો વડોદરામાં જ નંખાયો. અને તેમની સાહિત્ય વિષયક આકર્ષક કારકિર્દી ત્યાંથી શરૂ થઈ. જેમ જેમ વાંચન વધ્યું અને લખવાની વૃત્તિ તીવ્ર બની તેમ તેમ વધારે ઊણપ ભાસતી ગઈ અને જૈન સાધુજીવનનાં બંધનો તેમને સાલવા લાગ્યાં. કાલક્રમે મુંબઈ પહોંચ્યા. અનેક જૈન સાધુ સાથે હતા. મુંબઈમાં સમશીલ વિવિધ વિદ્વાનોના પરિચય અને ત્યાંના સ્વતંત્ર વાતાવરણે તેમની અભ્યાસવૃત્તિને અનેક મુખે ઉદ્દીપ્ત કરી. એ એમનો મંથનકાળ હતો. હું વાલકેશ્વરમાં તેઓને એકવાર મળ્યો ત્યારે જોયું કે તે સતત વાંચવા-વિચારવામાં મગ્ન છતાં ઊંડા અસંતોષમાં ગરક હતા. થોડા માસ પછી તેમની વૃત્તિ પૂનાના વિદ્યામય વાતાવરણે આકર્ષી. તેઓ પૂજ્ય બુદ્ધસાધુઓનો સાથ છોડી દુઃખિત મને એકલા પડ્યા, અને પગે ચાલતા પૂના પહોચ્યા. અહીં ભંડાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001207
Book TitleArdhya
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy