SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮ • અર્ધ્ય માંડ્યા; અને કૌશાંબીજી તે પ્રશ્ન પરત્વે બૌદ્ધ પાલિ વાડ્મયમાં કાંઈ છે કે નહીં, તથા હોય તો તે શું છે એ શોધી ઉત્તર આપવા લાગ્યા. આ વખતે કૌશાંબીજીની અસાધારણ સ્મૃતિ અને પ્રજ્ઞાનો મને પરિચય થયો. હું પૂછું કે, જૈન નય અને નિક્ષેપના સ્થાનમાં બૌદ્ધગ્રંથોમાં શું છે ?” તો કૌશાંબીજી થોડી વારમાં જ પ્રથમ મોઢેથી કહી દે કે આનો ઉત્તર આવો છે અને અમુક ગ્રંથમાંથી મળશે. પછી તરત જ એ બૌદ્ધગ્રંથોના અંબારમાંથી કોઈ ને કોઈ ગ્રંથમાંથી મને પોતે કહેલ વાતનો પુરાવો કાઢી આપે. મારા સહચારી ભાઈ ખુશાલદાસ તે પુરાવાનું સ્થાન લખી લે. આમ રોજ સવારે બે કલાક વિદ્યાવ્યાસંગ ચાલે. મારી ધારણા એ હતી કે કૌશાંબીજીના બૌદ્ધ જ્ઞાન-ખજાનામાંથી મળે તેટલી વસ્તુ મેળવી, નોંધી લઈ, ક્યારેક જૈન અને બૌદ્ધ મંતવ્યોનો તુલનાત્મક અભ્યાસ ૨જૂ ક૨વો; અને સાથે સાથે વૈદિક દર્શનોની પણ યથાસંભવ તુલના કરવી. કૌશાંબીજીએ સામગ્રી એટલી બધી આપી હતી કે જો એ ગુમ થયેલ નોટ હજી પણ મળી આવે, તો તુલનાનો મનોરથ સિદ્ધ થાય. આમ છ માસના સહવાસ પછી કૌશાંબીજી જરાક દૂર ગયા, દૂર એટલે કાશી વિદ્યાપીઠ. ત્યાં તેમણે હિંદી સંસ્કૃતિ આણિ અહિંસા' એ પુસ્તક લખ્યું. જ્યારે તેઓ એ પુસ્તક લખતા હતા, ત્યારે પણ અમે બંને તો અવારનવાર મળતા જ. તેઓ પોતાનું લખવાનું અને લખેલું મને મોઢે કહી જાય અને સંમતિ માર્ગ. વળી કયારેક કહે કે, મારું આ પુસ્તક કોઈ પ્રગટ નહીં કરે, એટલું જ નહીં. પણ કોઈ કંપોઝ સુધ્ધાં નહીં કરે. કારણમાં તેઓ કહેતા કે, વૈદિક, બૌદ્ધ અને જૈન એ બધાની તીવ્ર સમાલોચના એમાં કરી છે. અને જે કંપોઝિટર કે પ્રકાશક હશે તે પણ કોઈ ને કોઈ ઉક્ત પરંપરામાંનો હોઈ મારી વિરુદ્ધ જ જશે પણ હું હંમેશાં કહેતો કે, એવું કાંઈ નથી. દરમ્યાન તેમના મિત્ર બાબુ શિવપ્રસાદ ગુપ્તા જેઓ પથારીવશ જ હતા, તેમણે કહેલું કે, એ પુસ્તક હું હિંદીમાં કરાવી પ્રસિદ્ધ કરીશ. તેમણે હિંદી અનુવાદનું કામ તેમના ઓળખીતાને આપ્યું પણ ખરું. પરંતુ મને લાગે છે કે આ બાબતમાં કૌશાંબીજી જ સાચા હતા. એ પુસ્તક એમ ને એમ પડી રહ્યું. અને છેવટે એનો ગુજરાતી અનુવાદ ગુજરાતમાં જ પ્રથમ પ્રસિદ્ધ થયો; અને હિંદી અનુવાદ તો કૌશાંબીજીના સ્વર્ગવાસ પછી જ. કાશી વિદ્યાપીઠ છોડી કૌશાંબીજી મુંબઈના એક વિભાગ પરેલમાં બહુજન વિહાર'માં પછાત જાતિને સંસ્કાર આપવા રહ્યા. જ્યારે તેમને એમ લાગ્યું કે, તેમની ગીતાની સમાલોચનાથી અમુક દાતાઓને માઠું લાગ્યું છે, ત્યારે તેમણે આપમેળે પરેલ છોડ્યું. પાછા અમદાવાદ અને સારનાથ આદિમાં રહી તેઓ મુંબઈ આવ્યા. પણ એમને એવો સંકલ્પ ઊઠ્યો કે, હવે મારું જીવનકાર્ય મેં પૂરું કર્યું છે, ઉંમર થઈ છે, વધારે કરવાનું રહ્યું નથી; તો પછી જીવન નકામું ગાળવું અને ઘડપણમાં બીજાઓની સેવા લેવી, એ આ મોંઘવારી અને ગરીબીના સમયમાં યોગ્ય નથી માટે આમરણાંત અનશન કરવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001207
Book TitleArdhya
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy