SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ શાંતિદેવાચાર્ય અને અધ્યાપક કૌશાંબીજી • ૭૭ થશે; અને એમના જીવન અંગે કેટલીક હજી લગી કદાચ અજ્ઞાત રહેલી બાબતો પ્રકાશમાં આવશે. ઈ. સ. ૧૯૧૭માં એમને ઘેર જ હું પૂનામાં કૌશાંબીજીને પ્રથમ વાર મળ્યો, જ્યારે કૃપલાનીજી પણ હતા. ચર્ચા અહિંસાથી શરૂ થઈ; અને મારો ઘણા વખત પહેલાંથી બૌદ્ધ પિટકો ગુરુમુખથી શીખવાનો સંસ્કાર જાગ્યો. પણ એ વાત એ વખતે ત્યાં જ રહી. ૧૯૨૨માં કૌશાંબીજી ગૂજરાત વિદ્યાપીઠમાં પુરાતત્ત્વમંદિર ખાતે જોડાયા. મને આ તક મળી. મેં ગૂજરાત વિદ્યાપીઠમાં રીતસર જોડવાનું નક્કી કર્યું. હાથમાં લીધેલ કામ ઉપરાંત કૌશાંબીજી પાસે બૌદ્ધગ્રંથોનું અધ્યયન શરૂ કર્યું. સાથે રહેવાનું, જમવાનું અને ફરવાનું હોવાથી કૌશાંબીજીની અનેક વિષયસ્પર્શી વિનોદી પ્રતિભાનો પણ લાભ મળતો ગયો. કૌશાંબીજી તે વખતે વિદ્યાપીઠ માટે અમુક પુસ્તકો તૈયાર કરતા હતા. મરાઠીમાં લખે અને તેનો ગુજરાતી અનુવાદ પણ સાંભળે. હું તો લગભગ બધામાં સાક્ષી બનતો અને એમની પાસે શીખેલ “અભિધર્મ' જેવા ગ્રંથનો વર્ગ પણ લેતો. ૧૯૨૫ સુધી આમ ચાલ્યું. ફરી ૧૯૨૭થી ૨૯ સુધીમાં તેઓ ગૂજરાત વિદ્યાપીઠમાં આવ્યા ત્યારે પણ આવો જ ક્રમ ચાલ્યો. કૈશંબીજી શાસ્ત્રાભ્યાસી તો હતા જ, પણ તેમની ઇતિહાસ અને સંશોધનની દૃષ્ટિ બહુ સ્પષ્ટ હતી. વિશેષતા એમની એ હતી કે, તેઓ પોતાને સત્ય લાગે અને સમજાય એ વાત અપ્રિય હોય તોય મિત્રો કે બીજા મળનારને કહેતાં કદી ખમચાતા નહીં. તેથી કેટલીક વાર અનેકોનો વિરોધ પણ વહોરતા. પણ દરેક જણ સમજી જતો કે કૌશાંબીજી છે ચોખ્ખા દિલના; એટલે પાછું અનુસંધાન થતાં વાર ન લાગતી. કૌશંબીજને જે મળે તે તેમના પ્રત્યે આકર્ષાય. ગુજરાતમાં રહ્યા પછી કૌશંબીજીને મહારાષ્ટ્ર કરતાં જુદો જ અનુભવ થયો. તેઓ કહેતા કે, મહારાષ્ટ્ર હઠી અને દુરાગ્રહી છે, જ્યારે ગુજરાતમાં એવું તત્ત્વ ઘણું ઓછું છે તેથી તેમણે ગુજરાતમાં અનેક વર્ગના અનેક મિત્રો મેળવ્યા. ફરી કૌશાંબીજનો અને મારો મેળાપ કાશીમાં થયો. તેઓ છ માસ માટે હિંદુ યુનિવર્સિટીમાં આવી રહ્યા. પંડિત માલવિયાજી તેમને આગ્રહ કરી લાવેલ, પણ કૌશાંબીજીએ ત્યાં કોઈ વ્યવસ્થા ન જોઈ. તેમની પાસે કોઈ શીખનાર જ નહીં. એક વાર તેમણે માલવિયાજી અને ધ્રુવજી એ બંનેની ખબર પણ લીધી. છેવટે મેં તો નક્કી કર્યું કે, મારે એમનો ઉપયોગ કરવો. ત્યાંના પુસ્તકાલયના એક ખંડમાં સીલોની, બર્મી, સિયામી અને રોમન લિપિમાં મુદ્રિત બધા જ બૌદ્ધ પિટક-ગ્રંથો તેમની ટીકા સાથે સામે રાખ્યા. મેં એવો ક્રમ રાખ્યો કે કોઈ એક ગ્રંથ ન ભણતાં હું પૂછું તે ઉપર કૌશાંબીજી બૌદ્ધ મંતવ્ય કહે. મેં ઉમાસ્વાતિના તત્ત્વાર્થને આધારે નિત્ય નવા શાસ્ત્રીય પ્રશ્નો પૂછવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001207
Book TitleArdhya
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy