SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨ • અર્થ લખાણ, એમના આટઆટલા સંસ્કારગ્રાહી શિષ્યો, એમની આટઆટલી સેવા અને ત્યાગવૃત્તિ, એમનો સંસ્કારી વિશાળ પુત્ર-પુત્રી-પરિવાર – આ બધું હોવા છતાં જો સ્થૂળ દેહનો અભાવ જ પૂર્ણ મૃત્યુ ગણાતું હોય તો એવું મૃત્યુ અનિવાર્ય હોઈ તે લેશ પણ ચિંતાનો વિષય હોવો ન જોઈએ. હું અને બીજા મિત્રો મુંબઈ પર્યુષણ વ્યાખ્યાનમાળામાં કૌશાંબીજીને આમંત્રણ આપતા ત્યારે તેઓ તેમાં વ્યાખ્યાન આપવા આવતા. જ્યારે જ્યારે મેં એમની પાસેથી કાંઈપણ વિદ્યાત્ય સાધવા ઈચ્છેલું ત્યારે તેઓએ પ્રસન્નતાપૂર્વક મને મદદ આપેલી છે. તેમની સાથેનાં મારાં નાનાંમોટાં અનેકવિધ સ્મરણો અને તેમણે કહેલા પોતના જીવનપ્રસંગો જેમ તત્કાળ સ્મૃતિપથમાં નથી આવતાં તેમ તે આ મર્યાદિત લેખમાં સમાવેશ પણ પામી નથી શકતાં. કૌશાંબીજીના બધા જ પરિચિત મિત્રોએ પોતપોતાનાં સ્મરણો અને તેમની સાથેના પ્રસંગો લખી તે ઉપરથી પુનરુક્તિ વિનાની એક કૌશાંબીજી મૃતિપોથી તૈયાર કરી હોય તો જ તેમનું સમગ્ર ચિત્ર કાંઈક અંશે આલેખી શકાય. - પ્રબુદ્ધ જૈન, ૧૫ જુલાઈ ૧૯૪૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001207
Book TitleArdhya
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy