SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વ. કૌશાંબીજીનાં પ્રેરણાદાયી સ્મરણો • ૬૭ પૂરતું શિક્ષણ આપ્યું છે અને સ્વાવલંબી બનાવ્યાં છે. તો પછી હવે વધારે જીવી મોંઘવારીમાં ઉમેરો શા માટે કરવો? અને વધારે ઘડપણ ભોગવી, બિસ્તરે પડી અનેક લોકોની સેવાશક્તિનો નકામો ઉપયોગ શા માટે કરવો? તેથી હવે જીવનનો અંત કરવો એ જ મારી ચિંતાનો વિષય છે ઈત્યાદિ. તેમના આ વિચારો સાંભળી અમે બધા પરિચિતો અકળાતા અને કહેતા કે “તમારા જીવનનો, તમારી વિચારણાઓનો રાષ્ટ્રને બહુ ખપ છે. અને ભલે તમને સિત્તેર જેટલાં વર્ષ થયાં હોય છતાં તમે અમારા કરતાં બહુ સશક્ત છો. કેટલાક મિત્રોએ, ખાસ કરી ને મિત્રોએ તેમને જ્યાં રહે ત્યાં ખર્ચ આપવાનું શ્રદ્ધાપૂર્વક આશ્વાસન આપેલું. કૌશાંબીજીના એકના એક પુત્ર પ્રો. દામોદર કૌશાંબીજી પણ પિતૃભક્ત છે. તેઓ પણ પોતાના પિતા માટે બનતું બધું કરી છૂટવા તૈયાર જ હતા. એમની જ્યેષ્ઠ પુત્રી માણેકબહેન અને જમાઈ ડૉ. પ્રસાદ પણ કૌશાંબીજી માટે બધું જ કરી છૂટે તેવાં હતાં. કૌશાંબીજીનાં વૃદ્ધ પત્ની પણ સેવામૂર્તિ છે. એમના અંગત કુટુંબ ઉપરાંત દરેક પ્રાંતમાં એમને જાણનાર અનેક વિદ્વાનો અને ધનિકો એમના જીવનની સક્રિય કાળજી સેવતા તેનો પણ હું સાક્ષી છું અને છતાંય કૌશાંબીજની જીવનાન કરવાની વૃત્તિ કેમે કરી શમી નહિ. તેમનામાં આવી વૃત્તિ કેમ જન્મી તે તો પૂર્ણપણે કહી ન શકું છતાં તેઓ પોતાની વૃત્તિના સમર્થનમાં જે કેટલાક આધુનિક અને પુરાતન દાખલા ટાંકતા તે ઉપરથી હું એટલી જ કલ્પના કરી શકતો કે કૌશાંબીજી ઘડપણનો ભાર કોઈપણ ઉપર નાખવા માગતા નથી અને પગ ઘસીને પરાણે જીવન પૂરું કરવા ઈચ્છતા નથી. તેઓ જેવી રીતે હસતે મોઢે જન્મ્યા, હસતે મોઢે આખી જિંદગી ગાળી, તેવી જ રીતે પ્રસન્ન ચિત્તે કોઈના ઉપર ભાર નાખ્યા સિવાય મૃત્યુને ભેટવા માગે છે. તેઓ મને કહેતા કે “જુઓને શિવપ્રસાદ ગુપ્તા કેવી રીતે બેભાન દશામાં બિસ્તરે વર્ષો થયાં પડ્યા છે અને તેમની શારીરિક હાજતો માટે પણ અનેક નોકરોને કેવું રોકાવું પડે છે!” તેઓ એમ પણ કહેતા કે, “પંડિતજી માલવિયજી જેવા પણ અતિ લાંબા જીવનથી કેટલું દુઃખ અનુભવે છે? બૌદ્ધગ્રંથો અને બીજાં શાસ્ત્રોમાંથી તેઓ અનેક ઉદાહરણો ચંકી મને કહેતા કે, “જુઓ! પાકું પાન ખરી પડે તે રીતે પ્રાચીન સંતો અને તપસ્વીઓ વૃદ્ધાવસ્થામાં ખરી પડતા. જીવનનો અંત બહાદુરીથી કરતા, મૃત્યુથી ન ડરતા અને કર્તવ્ય કર્યાનો સંતોષ મેળવ્યા પછી તેઓ જીવવા માટે તડફડિયાં ન મારતા. તેથી હું પણ વીરતા, સ્મૃતિ અને જાગૃતિપૂર્વક મૃત્યુને ભેટવા ઈચ્છું છું.’ હું બધું સાંભળી ચૂપ રહેતો; અને બચાવની દલીલોમાં ન ઊતરતો. ક્યારેક ક્યારેક મારાં ધર્મભગિની મોતીબહેન જીવરાજ જેમના ઉપર કૌશાંબીજીની બહુ શ્રદ્ધા હતી તે પોતાની દલીલો કૌશાંબીજી સામે આદરપૂર્વક પણ ભારપૂર્વક વહેતી મૂકતાં છતાં હું જોઈ શક્તો કે કૌશાંબીજીના વલણમાં કાંઈ ફેર ન પડતો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001207
Book TitleArdhya
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy